bhavnagar

ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચનો નવમો પૂર્ણાંક હવે 20 થી 22 ધરમપુરમાં તખુભાઈ સાંડસુરના સંયોજન હેઠળ આયોજન

ભાવનગર
ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચના માધ્યમથી દર વર્ષે ગુજરાતના વિવિધ જિલ્લાના ઈનોવેટિવ અને રચનાત્મક કામ કરનારા પ્રવૃત્ત શિક્ષક ભાઈ બહેનોને પોતાની કાર્યરીતિને વધુ સુસજ્જ બનાવવા ત્રણ દિવસનો એક શૈક્ષણિક કાર્યક્રમ દર છ માસે યોજવામાં આવે છે. જેમાં જે તે પ્રદેશની શૈક્ષણિક સ્થિતિ, પોતાની શાળાઓમાં થતા વિવિધ પ્રયોગો, આગામી આયોજનો તથા વિદ્વાન વક્તાઓના જ્ઞાનલાભ મેળવીને શિક્ષકોને સમૃદ્ધ કરવાનો આયામ થઈ રહ્યો છે. તેનો આગામી નવમો મણકો કે જે પૂર્ણાંક કહી શકાય તે ધરમપુરના આદિજાતિ વિસ્તારમાં યોજાઈ રહ્યો છે.

આ અંગેની માહિતી અને વિગતો આપતા કાર્યક્રમ સંયોજકો સર્વશ્રી લીલાબેન ઠાકરડા અને હરેશભાઈ સોડવડિયાએ જણાવ્યું હતું કે છે કે તારીખ 20 બપોરે ત્રણ કલાકે આ સંગોષ્ઠિના તમામ સાધકો શ્રીમદ રાજચંદ્ર આશ્રમની ધરમપુર ખાતે મુલાકાત લેશે.ત્યારબાદ ત્યાંથી 22 કિલોમીટર દૂર ચાસ માંડવા નામનું અંતરિયાળ ગામ છે ત્યાં તે શાળાઓની આદિજાતિ શાળાઓની, તેના વિદ્યાર્થીઓની પણ મુલાકાત કરશે.

સાચ માંડવાના સનાતન નિસર્ગધામ નામના આશ્રમમાં તારીખ 20, 21 અને 22 ના રોજ વિવિધ કાર્યક્રમનું આયોજન થશે. જેમાં આ વખતની સંગોષ્ઠિનો વિષય “અધ્યાત્મ શિક્ષણ” નિયત કરવામાં આવ્યો છે. ગીતા, રામાયણ, ભાગવત, મહાભારત જેવા ગ્રંથો તથા ઉપનિષદ, પુરાણોના સંદર્ભો ટાંકીને ગુજરાતના વિવિધ વિદ્વાનો પોતાના વૈચારિક પરિપાકને પ્રસ્તુત કરશે.

તારીખ 21 ના રોજ સવારે 9:00 કલાકે યોજનાર ઉદઘાટન સત્રમાં ફોરમ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ અને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ અર્પણ કરવામાં આવશે. ચાલુ વર્ષે માંગરોળના અધ્યાપક અને સતત ચાલીસ વર્ષ સુધી સેવા અને શિક્ષણના ક્ષેત્રમાં સમર્પણથી પોતાની જાતને આહુત કરનાર શ્રી પ્રશાંતભાઈ ચ્હાવાલાને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ અર્પણ થશે. જોડીયાના સુશ્રી મમતાબેન જોશી, સારસા આણંદના ડો. કિરીટ ચૌહાણ, વીરનગર રાજકોટના સુશ્રી દેવકુબેન બોરીચા, અને ભાવનગર પરવડીના શ્રી પરેશભાઈ હિરાણીને ફોરમ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત થશે. આ કાર્યક્રમમાં મંચના સહસંયોજક અને લેખક શ્રી શ્યામજીભાઈ દેસાઈનું પુસ્તક ‘અધ્યાત્મ અને શિક્ષણ’ નું રૂપ દર્શન થશે. આ ઉદઘાટન સત્રમાં પ્રમુખ સ્થાને ત્યાંના સ્થાનિક ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, ભાગવતાચાર્ય પૂજ્ય પંકજભાઈ વ્યાસ અને પૂ દિવ્ય સ્વરૂપ સ્વામીજી આશીર્વાદ માટે ઉપસ્થિત રહેશે. સુરતના સામાજિક અગ્રણી અને રચનાત્મક કાર્યકર શ્રી પીયુષભાઈ ધાનાણી પણ આ કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે હાજર રહેવાના છે.

તારીખ 20 અને 21ના વિવિધ ક્ષેત્રોમાં વક્તાઓ શ્રી કુમાર જૈમિનિ શાસ્ત્રી ડો. આશા ગોહિલ, પૂજ્ય પંકજભાઈ વ્યાસ ભાગવતાચાર્ય, ડો.ધર્મેન્દ્ર કનાલા, શ્રી તખુભાઈ સાંડસુર વગેરેના અભ્યાસ પૂર્ણ વક્તવ્યો થશે.

આ સમગ્ર ગોષ્ઠિને સફળ બનાવવા માટે જિલ્લાના સંયોજકો શ્રી ભગવત દાન ગઢવી ડો.પ્રદીપસિંહ સિંધા, સંજયભાઈ પટેલ ચિરાગભાઈ પટેલ વિમલભાઈ પટેલ, દુધાભાઈ પરમાર, સંજયભાઈ મકવાણા, દીપ્તિબેન જોશી વગેરે પ્રયત્નશીલ છે.

સમગ્ર આયોજન તખુભાઈ સાંડસુરના નેતૃત્વમાં અને સહ સંયોજકો શ્યામજી ભાઈ દેસાઈ અને ડો મહેશ ઠાકર કરી રહ્યા છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

દોષથી મુક્ત થઈ શકાય દુઃખથી નહીં: મોરારિબાપુ પાલીતાણાની “માનસ શિવ સંકલ્પ” રામકથાનો સફળ આયોજન સાથે વિરામ

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા ) તીર્થભૂમિ પાલીતાણાની નજીકના ગામ સગાપરાની કૈલાશ…

કોળી સેનાના યુવા પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ ભાવનગરમાં મતદાન કરી લોકશાહી પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો

મતદાન એ અધિકાર સાથે રાષ્ટ્રીય ફરજ પણ છે, દરેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ :…

સદી પાર છતાં લોકશાહી પ્રત્યે અડગ શ્રદ્ધા: ૧૦૧ વર્ષનાં અમરબેને મતદાન કરી લખ્યો પ્રેરણાનો અધ્યાય

દડવા ગામે વરિષ્ઠ માતૃશક્તિના સંકલ્પે યુવાનોમાં જગાવ્યો મતદાનનો જુસ્સો ઉમરાળા…

ડો. ધર્મિષ્ઠા બેન દવે દ્વારા ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે ‘નારી શક્તિ વંદન કાર્યક્રમ’ યોજાયો

વિદ્યાવિહાર કેળવણી મંડળ દ્વારા બહેનોનું સન્માન કરાયું ભાવનગર, તા. ૧૯/૦૪/૨૦૨૬…

1 of 77

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *