Latest

ગારિયાધાર તાલુકાની શ્રી પરવડી શાખા શાળામાં ‘વિશ્વ સિંહ દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી

સમગ્ર શાળા પરિસર  અને પરવડી ગામ ‘બાળકોની સિંહ ગર્જના’થી ગુંજી ઉઠ્યું

સિંહ જંગલનો રાજા છે. સમગ્ર વિશ્વમાં એકમાત્ર ગીરના જંગલોમાં જોવાં મળતાં ‘એશિયાટિક સિંહ’ ગુજરાતનું ગૌરવ છે. સાવજ અને વનરાજના નામે ઓળખાતા આ શક્તિશાળી પ્રાણીનો વનમાં દબદબો હોય છે. તેની એક ડણક અને ગર્જના આસપાસમાં સન્નાટો લાવી દેવા માટે પૂરતી હોય છે.

સિંહની વસ્તી પૃથ્વી પર દિવસેને દિવસે ઘટતી રહી છે. તેથી તેનું જતન અને સંરક્ષણ થાય અને પ્રકૃતિની સમતુલા જળવાઈ રહે તેવાં આશયથી પ્રતિવર્ષ ૧૦ મી ઓગસ્ટના રોજ ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે.

આજે વિશ્વ સિંહ દિવસ છે. તેનાં ઉપલક્ષ્યમાં શ્રી પરવડી શાખા શાળામાં શાળા પરિવાર દ્વારા ” વિશ્વ સિંહ દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી.

આ ઉજવણીમાં સૌ પ્રથમ શાળાનાં બાળકો તેમજ શિક્ષકોએ સિંહનાં મહોરાં પહેરી ગામમાં ભવ્ય રેલી કાઢી  ‘સિંહ બચાવો’ના નારા લગાવવામાં આવ્યાં હતાં.સમગ્ર શાળા પરિસર  અને ગામ બાળકોની સિંહ ગર્જનાથી ગુંજી ઉઠ્યું હતું.

રેલી દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયાં હતાં. રેલીને જોવાં માટે લોકો શેરીઓમાં ઉમટી પડ્યાં હતાં. શાળાનાં પટાંગણમાં બાળકોને સિંહ દિવસ વિશે તથા ‘સિંહ બચાવો અભિયાન’ વિશે શાળાનાં શિક્ષકો દ્વારા બાળકોને માહિતગાર કરવામાં આવ્યાં હતાં. બાળકોએ પણ સિંહ તથા ‘વિશ્વ સિંહ દિવસ’ વિશે પોતાનાં વિચારો રજૂ કર્યાં હતાં.

શાળાના આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ શાળાના મદદનીશ શિક્ષકશ્રી પરેશકુમાર હિરાણી, રાકેશભાઈ પટેલ, અરવિંદભાઈ સિંગલ,મનોજભાઈ લિય, કલ્પેશભાઈ ચુડાસમા તથા સ્વીટીબેન માલવિયા અને જયોતિબેન રાણવાએ વિશ્વ સિંહ દિવસને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

પાટણ માર્કેટ યાર્ડમાં વિવિધ જણશોની બંમ્પર આવક સાથે તમાકુયાડૅમાં પણ ૪૦ હજારથી વધુ બોરીઓની આવક થઈ

પાટણ: એ.આર,એબીએનએસ : રવિવાર સહિત તહેવારોની રજા મળી ત્રણેક દિવસ બાદ મંગળવારે શરૂ…

1 of 592

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *