Breaking NewsLatest

ઘોઘા-હજીરા રો-રો ફેરી ફરી અટકી પડી, જાણો કઇ તારીખ સુધી સર્વિસ રહેશે બંધ

 

25 જુલાઈ થી જહાજના મેઈન્ટેનન્સનું કારણ આગળ ધરી ફેરીને બંધ કરી દેવામાં આવતા હાલાકી

ઘોઘા-હજીરા રો રો ફેરી સર્વિસ ફરી બંધ
5 સપ્ટેમ્બર સુધી રો રો ફેરી સર્વિસ બંધ રહેશે
જહાજના મેઈન્ટેનન્સનું કારણ આપીને રો રો ફેરી સર્વિસ બંધ

રિપોર્ટર નરેશભાઈ ડાંખરા

ભારત સરકારની સાગરમાલા યોજના અને ગુજરાત સરકારના ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા ફંડીગથી ચાલુ કરવામાં આવેલ ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ ફેરી 2017થી લોકોની સેવા માટે સમર્પિત કરી દેવામાં આવી છે. ત્યારે હાલ ઘોઘા-હજીરા રો રો ફેરી સર્વિસ ફરી બંધ થઈ છે. જહાજનું મેઇન્ટેનન્સનું કારણ આપી બંધ કરવામાં આવી છે. 25 જુલાઈ થી 5 સપ્ટેમ્બર 41 દિવસ સુધી ફેરી સર્વિસ બંધ કરી દેવામાં આવતા મુસાફરો અને ટ્રક ચાલકોને મુશ્કેલી પડી રહી છે.

સુરતના હજીરા થી ભાવનગરના ઘોઘા વચ્ચે છે રો રો ફેરી
આ રો-પેક્સથી સોરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનું વર્ષો જૂનુ સપનું પૂર્ણ થયું છે. હજીરામાં નવા ટર્મિનલનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. આ સેવાથી ઘોઘા અને હજીરા વચ્ચે માર્ગનું અંતર 370 કિમી છે જે સમુદ્રમાં 90 કિમીના અંતર કાપતા જ પહોંચી જવાય છે. આ અંતર કાપવા માટે રોડ માર્ગે 10થી 12 કલાક થતી હતી જે હવે સમુદ્ર માર્ગે માત્ર 4 કલાક માં પહોંચી જવાય છે.

આ સેવાથી માર્ગ પર ટ્રાફિક અને પ્રદુષણ ઓછું થઈ રહ્યું છે. એક વર્ષમાં 80 હજાર વાહનો, 30 હજાર ટ્રક સેવાનો લાભ લઈ રહ્યા છે. ગુજરાતના મોટા કારોબારી શહેર સાથે સંપર્કથી સૌરાષ્ટ્રના ખેડૂતોને ફળ, શાકભાજી અન દૂધ પણ વાહન મારફતે આ સર્વિસનો ઉપયોગ કરી ઝડપથી પહોંચાડી રહ્યા છે.
ટિકિટના કેટલા ભાવ (અંદાજિત)

મુસાફર (જનરલ, એક્ઝિક્યુટિવ,લૉન્જ ક્લાસ) રૂ. 625 થી 1700
મોટરસાઈકલ રૂ. 350
કાર રૂ. 1400
ટ્રક રૂ. 8000 to 15000 ( વજન પ્રમાણે)
બસ રૂ. 5500
ટેમ્પો ટ્રાવેલર રૂ.4500
રો-પેક્સ ન માત્ર વેપારની દ્રષ્ટિએ પરંતુ મુસાફરીની દ્રષ્ટિએ પણ એક મોટું વરદાન છે. કારણ કે, સૌરાષ્ટ્રથી સુરત જતા પરિવારો દરિયાઈ મુસાફરી સાથે આરામદાયક રીતે અને ઝડપી રીતે દક્ષિણ ગુજરાતનો પ્રવાસ શક્ય બન્યો છે. જોકે હાલ તો આ રો-પેક્સ ટેક્નિકલ કારણો(મેઇનટેન્સ)ને લઇને 5 સપ્ટેમ્બર સુધી અટકી પડી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આત્મહત્યા કરવા નીકળેલ પરિવારને બચાવતી ઇસનપુર પોલીસ ટીમનું શહેર કમિશ્નર દ્વારા કરાયું સન્માન

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા આજરોજ ઇસનપુર…

રૂ.૪૦,૦૦૦/-ના ચોરી થયેલ મોબાઇલ ફોન સાથે એક ઇસમને ઝડપી મોબાઇલ ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

દેશી બનાવટની પિસ્ટલ કિ.રૂ.૧૦,૦૦૦/- નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી…

ભાવનગર યુનિવર્સિટીનાં ઈતિહાસ વિભાગનાં વિદ્યાર્થીઓએ ભારતીય રાષ્ટ્રીય અભિલેખાગારની મુલાકાત લીધી

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી - શામળદાસ કોલેજ ના, ઈતિહાસ વિભાગના…

અપરાજિતા ટ્રસ્ટના ઉપક્રમે જરૂરિયાતમંદ દીકરીઓને સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોનું વિતરણ કરાયું

મહેસાણા, સંજીવ રાજપૂત: સરકારની વિવિધ વિભાગની યોજનાઓ થકી દરેક સમાજની મહિલાઓનો…

1 of 702

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *