Latest

દાંતીવાડા જવાહર નવોદય વિદ્યાલય ખાતે ટેબલ ટેનિસ અને વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

 

બનાસકાંઠા જિલ્લામાં 14 જેટલા તાલુકાઓ આવેલા છે જેમાં દાંતીવાડા ની આગવી ઓળખ ની વાત કરવામાં આવે તો ચોક્કસ પણે કહી શકાય છે કે દાંતીવાડાએ ડેમ અને જવાહર નવોદય વિદ્યાલય થી સમગ્ર ગુજરાતમાં જાણીતું બન્યું છે.દાંતીવાડા ખાતે તાજેતરમાં કલસ્ટર લેવલ ટેબલ ટેનિસ અને વિજ્ઞાન પ્રદર્શન ઉદઘાટન સમારોહ યોજાયું હતું જેમા મુખ્ય અતિથિ વિશેષ તરીકે રાજશેખર કે. કમાન્ડન્ટ ,123 સીમા સુરક્ષા બળ અને નીરૂબા રાજપૂત સહિત વિવિઘ આગેવાનો હાજર રહ્યા હતા.

શાળાના આચાર્ય એસ બી પાટીલ એ માહીતી આપતાં જણાવ્યું હતું કે કલસ્ટરના 7 જવાહર નવોદય વિદ્યાલય માથી 50 બાળકો ભાગ લઈ રહ્યા છે તે ઉપરાંત વિજ્ઞાન પ્રદર્શનમા સામાજિક , વિજ્ઞાન અને કોમ્પ્યુટર અને ગણિતના મોડેલ નુ પ્રદર્શન યોજાયું હતું. કાર્યક્રમ નું સમાપન વિદ્યાલય ના શિક્ષક માનસિંહ મીના દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો જ્યારે કાર્યક્રમ નું સુચારુ સંચાલન શાળાના શિક્ષક ગુમાનસિંહ દ્વારા કરાયું હતું.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ડુમસના દરિયાકિનારે બેભાન હાલતમાં મળેલા તરૂણને સમયસર સારવાર અપાવી જીવ બચાવતી મિસીંગ સેલ પોલીસ ટીમ

સુરતઃસંજીવ રાજપૂત: સુરત શહેરમાં મિસીંગ (ગુમ/અપહરણ) થવાના કિસ્સામાં ગુમ થનાર ૦ થી…

1 of 594

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *