Latest

દાંતા રાજવીનું કુંભારીયા આદીવાસી પરીવાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું

શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલુ છે.હાલમાં અંબાજી ખાતે નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં માઈ ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છ, ત્યારે આજે નવરાત્રી આઠમ નિમિતે સવારે મંગળા આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ જવેરા આરતી પણ કરવામાં આવી હતી આજે આઠમનો અંબાજી મંદિર ખાતે હવન હોઇ દાંતા રાજવી પરિવાર સાથે અંબાજી આવે તે અગાઊ કુંભારીયા આદીવાસી પરીવાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

આજે સવારે દાંતા માર્ગ પર સોમીરાભાઈ ડુંગાઇચા દ્વારા દાંતા રાજવીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને કુમકુમ તિલક કરીને ખાટલા પર બેસાડવામાં આવ્યા હતા રાજવી દ્વારા આદિવાસી પરિવારના ખબર અંતર પૂછ્યા હતા અને રાજવી અંબાજી માતા ખાતે હવન મા આહુતી આપવા આવ્યાં હતા અને આજે આસો નવરાત્રી આઠમ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો હવનનાં દર્શન કરવા આવશે

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોપટપુરા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો

ગોધરા, વિનોદ રાવલ,એબીએનએસ: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય અને…

પાટણમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, કોલેજ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ

રાધનપુર. અનિલ રામાનુજ. એબીએનએસ : પાટણવાસીઓ વહેલી સવારે હૂંફાળા પવન સાથે યોગમયી…

1 of 607

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *