Latest

હિંમતનગર અને પ્રાંતિજ વિધાનસભા મતદાર વિભાગમાં ચૂંટણીલક્ષી ફરિયાદ હોય તો જનરલ નિરીક્ષક દેબાશિસ દાસને કરી શકાશે

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ભારતના ચૂંટણી પંચ દ્વારા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભા મત વિસ્તાર જનરલ નિરીક્ષકોની નિમણૂંક કરાઇ છે. જેમાં ૨૭ હિંમતનગર અને 33 પ્રાંતિજ વિધાનસભા મત વિસ્તાર માટે શ્રી દેબાશીસ દાસ (આઈ.એ.એસ)ની જનરલ નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી છે.

હિંમતનગર વિધાનસભા મત વિસ્તારને લગતી ફરીયાદ માટે શ્રી દાસને બહુમાળી ભવન, એ બ્લોક- રૂમ નંબર ૧૧૨ પહેલો માળ, હિંમતનગર ખાતે બપોરે ૨:૦૦ થી ૩:૦૦ દરમિયાન જાહેર જનતા, રાજકીય પક્ષો તથા તેમના પ્રતિનિધિઓ, ઉમેદવારો, મતદારોને કામકાજના દિવસો દરમિયાન રજૂઆત કરી શકાશે. તેમજ તેમના મોબાઈલ નંબર ૬૩૫૨૫૨૪૦૧૪ ટેલીફોન નંબર ૦૨૭૭૨ ૨૯૯૦૨૬ પર સંપર્ક કરી શકાશે.

પ્રાંતિજ વિધાનસભા મત વિસ્તારને લગતી ફરીયાદ માટે મામલતદારની ચેમ્બર, બ્લોક એ-૧, તાલુકા સેવાસદન,પ્રાંતિજ ખાતે બપોરે ૧૧:૦૦ થી ૧૨:૦૦ દરમિયાન રૂબરૂ મળી શકશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *