Latest

મહિલા અને બાળ વિભાગ અધિકારીની કચેરી બોટાદ દ્વારા ગઢડા ખાતે મહિલાઓને જાતીય સતામણી બાબતે જાગૃતિ શિબિર યોજવામાં આવી

તા.28/12/22ના રોજ જિલ્લા મહિલા બાળ અધિકારી આઈ.આઈ.મન્સૂરી દ્વારા તેમજ દહેદ પ્રતિબંધક અધિકારી હેતલબેન દવેના માર્ગદર્શન હેઠળ ગઢડા ઠાકરશી ભીમાણી ડાયમંડ્સમાં હીરા કામ કરતી મહિલાઓ સાથે કામકાજના સ્થળે જાતીય હિંસા -અધિનિયમ -2013 અંતર્ગત કાયદાકીય શિબિરનુ આયોજન કરવામાં આવેલ જેમાં દહેજ પ્રતિબંધક.

અધિકારી હેતલબેન દવે દ્વારા મહિલાઓ પર થતી હિંસા અને તેના અટકાયતી પ્રતિબંધ અને નિવારણ અંગે કાયદા અંગે વિશેષ માહિતી આપેલ ગઢડા કોર્ટમાં પેરા લીગલ વોલિએન્ટ રોહિતભાઈ કાપડીએ કાનૂની સેવા સત્તા મંડળ વિશે માહિતી આપેલ તેમજ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર નીતાબેન પટેલ દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ- 2005 ,પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરની કામગીરી અંગે તેના અનુભવો, ૧૮૧ અભિયમ અને સખીવન સ્ટોપ યોજના વિશે માહિતી આપેલ તેમજ જિલ્લા મહિલા બાળ અધિકારી કચેરી દ્વારા ચાલતી વ્હાલી દીકરી વિધવા સહાય ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન, સ્વરોજગાર લક્ષી તાલીમ બાબતે વીએમકેના સંચાલક પારૂલબેન કંસારા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યુ

તેમજ નારી અદાલતના કોર્ડીનેટર ભૂમિકાબેન સોલંકી દ્વારા સમગ્ર પ્રોગ્રામનું એન્કરિંગ કરી નારી અદાલતની યોજનાકીય કામગીરી બાબતે માહિતી આપેલ તેમજ ભાજપના મહિલા મોરચાના પ્રમુખ વસંતબેન સોઢાધર દ્વારા પોતાના મહિલા લક્ષી અનુભવો વ્યક્ત કરેલા ત્યારબાદ ભીમાણી ડાયમંડ્સના માલિક ઠાકરશીભાઈ દ્વારા પોતાના અનુભવો અને મહીલાઓને કેવા પ્રકારની કારખાનામાં સુવિધાઓ આપવામાં આવે છે તે બાબતે માહિતી આપેલી અને કાર્યક્રમ દરમ્યાન હાજર મહીલાઓને સંકટ સખી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી એપ્લિકેશન વિષે માહિતગાર કરવામાં આવેલ પ્રચાર પ્રસાર કરવા અંગે જણાવેલ હતું.

વીએમકેના કોર્ડીનેટર ગાયત્રીબેન દ્વારા સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ કરવામાં આવી હતી તેમજ સમગ્ર કાર્યક્રમનું આયોજન vmk સંચાલક પારૂલબેન અને ગાયત્રીબેન દ્વારા કરવામાં આવ્યુ હતું.

એહવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *