Latest

વર્ષો થી અંબાજી મંદિર મા મળતો મોહનથાળ નો પ્રસાદ નો અંત ? આજે મોહનથાળ પ્રસાદ નો સ્ટોક પૂર્ણ નવો સ્ટોક બનાવવા ની કોઈ પણ સૂચન નથી , હાલ મા પ્રસાદ મા ચીક્કી નું વિતરણ

શક્તિ ભક્તિ અને આસ્થા નુ ત્રિવેની સંગમ ગણાતું માં જગતજનની અંબાનું ધામ અંબાજી દેશ વિદેશમાં વિખ્યાત છે. ત્યારે માં અંબાના દ્વારે દરરોજ હજારો લાખોની સંખ્યા મા માઇભક્તો મા અંબા ના ચરણે આવી શીશ નમાવે છે.

ત્યાર બાદ મા અંબા નો આશીર્વાદ મેળવી પ્રસાદ સવરૂપ મોહનથાળ જે વર્ષો થી અંબાજી મંદિર માં પ્રસાદ રૂપે મળે છે. તેને સાથે લઈ જતા હોય છે અને માં નો આશીર્વાદ સમજી આ મોહનથાળ નો પ્રસાદ ગ્રહણ કરતા હોય છે. પણ હાલ મા અંબાજી મંદિર માં વર્ષો થી ચાલતો આવતો આ મોહનથાળ નો મહાપ્રસાદ આજે બપોરે તેનો સ્ટોક પૂરો હોવાના લીધે બંધ કરી દેવાયો છે. તો પ્રસાદ મા ચીકીનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે.

માં અંબા ના ધામ અંબાજી ની ઓળખ પણ મહાપ્રસાદ મોહનથાળ ધરાવે છે. અને તેનો સ્વાદ પણ વર્ષોથી માઇભક્તો અનુભવતા હોય છે. તો વર્ષોથી ચાલતો આવતો મહાપ્રસાદ મોહનથાળ નો આજે અંત આવ્યો છે .અને મહાપ્રસાદ મોહનથાળ નો સ્ટોક આજે બપોરે પરિપૂર્ણ થઈ ચૂક્યો છે.

અને નવો સ્ટોક બનાવવાની કામગીરી કરાઈ નથી. જેથી મા અંબા ના ધામે આવતા દરેક માઈભક્તો માં નો આશીર્વાદ સ્વરૂપ ગણાતો મોહનથાળ પ્રસાદ ન મળતા તેમની લાગણી ને ઠેસ પહોંચી હતી. તો માઇભક્તો મોહનથાળ પ્રસાદને જે વર્ષોથી મા અંબા ના મંદિરે મળતો હતો તેને ફરીથી શરૂ કરવાનું માંગ કરી રહ્યા છે.

આજે વર્ષો થી ચાલતો આવતો મહાપ્રસાદ મોહનથાળ નો સ્ટોક પરિપૂર્ણ થયા બાદ નવો સ્ટોક ન બનતા યાત્રાળુઓ જે મોહનથાળ નો પ્રસાદ લેવા પ્રસાદ કેન્દ્ર પર આવ્યા હતા ત્યારે તેમને મોહનથાળ નો પ્રસાદ ન મળતા દર્શનાર્થીઓ એ નારાજગી વ્યક્ત કરી હતી.

તો સાથે સાથે વહીવટી તંત્ર અને માં જગતજનની અંબા થી પ્રાર્થના પણ કરી રહ્યા છે કે મા અંબા નો આશીર્વાદ સ્વરૂપ જે મોહનથાળ વર્ષોથી મળતો હતો અને મહાપ્રસાદ મોહનથાળ ને લઈ અમે ઘરે જઈ પરિવાર સાથે માં અંબા નો પ્રસાદ મોહનથાળ ગ્રહણ કરતા હતા અને એમના અંદર માતાજી નો આશીર્વાદ દેખાતો હતો.

જે હવે મા અંબા ના મંદિરે મોહનથાળ નો પ્રસાદ ન મળતા ભક્તોની લાગણી ને ઠેસ પહોંચી હતી. અને તેઓએ મા અંબાજી પ્રાર્થના કરી હતી કે ફરી એકવાર માં નો આશીર્વાદ સ્વરૂપ ગણાતો મોહનથાળ નો પ્રસાદ ચાલુ થાય અને દેશભર થી આવતા દર્શનાર્થીઓ ફરી થી આ મોહનથાળ પ્રસાદ નો સ્વાદ લઈ શકે અને સાથે લઈ જાય….

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અત્યંત જટીલ સર્વાઇકલ સ્પાઇન સર્જરી સફળતાપૂર્ણ પૂર્ણ કરી દર્દીને નવજીવન બક્ષતા સ્પાઇન સર્જન ડૉ. જે.વી. મોદી

વિસનગર, સંજીવ રાજપૂત: અડેરણ તા. દાંતા ના વતની 60 વર્ષીય પ્રવીણભાઈ બાબુલાલ મોદીને…

રાજ્યના દૂર-દરાજના અંતરિયાળ ગામો સુધી એફોર્ડેબલ અને હાઈક્વોલિટી મોબાઈલ એન્ડ ડિજિટલ સર્વિસ મળતી થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગુજરાતમાં વધુને વધુ અંતરિયાળ વિસ્તારના ગામોને વડાપ્રધાન…

1 of 557

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *