Local Issues

અંબાજી – જાહેર માહિતી અધિકારી દ્વારા ખોટી માહિતી આપવા બાબતે ફોજદારી કેસ કરવા મંજૂરી માંગતા અરજદાર.

R.T.I એક્ટ હેઠળ જા.માં.અધિકારી એ અરજદાર ને સાચી માહિતી આપવી પડે ,ત્યારે સરકારી બાબતો ખુલ્લી પડવા થી બચાવા ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે…..

આવા અધિકારીઓ સત્ય છુપાવી આમ જનતા ને ગેરમાર્ગે દોરી લોકહિત નો ભંગ કરતા ફોજદારી કાર્યવાહી જરૂરી….!!!

ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે અરજદાર ને ખોટી માહિતી આપવા બદલ અરજદાર દ્વારા કલેક્ટર શ્રી પાસે થી અધિકારી વિરુદ્ધ ફોજદારી ગુનો દાખલ કરવા અંગે મંજૂરી આપવા બાબતે અરજી અપાઈ હતી.

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ના પેટા એકમો કોટેશ્વર ધામ, ગબ્બર ,કોમર્સ કોલેજ, સંસ્કૃત પાઠશાળા, કૈલાશ ટેકરી,  ઉપરાંત  પાનસા, અમદાવાદ જેવા સ્થળોએ જવા માટે મંદિર ના અધિકારીઓ દ્વારા મંદિર ટ્રસ્ટ ના વાહન નો ઉપયોગ કરાય છે જેમાં લોગ બુક માં શરૂઆત , વપરાશ અને ક્લોઝિંગ કી.મી  ની સ્થળ સહિત ની માહિતી વાહન લઈ ચલાવનાર વ્યક્તિ દ્વારા ભરવામાં આવે છે જેમાં આ સ્થળો ના અંબાજી થી અંતર કરતા વધારે અંતર / કી.મી. દર્શાવવામાં આવ્યા છે જે હકીકત થી વધુ હોવાનું જાણવા મળી રહ્યું છે જેમાં અરજદાર દ્વારા માંગેલ માહિતી માં અંબાજી થી વિવિધ સ્થળો ના અંતર માં નીચે મુજબ માહિતી અપાઈ છે જે જોતા કોઈ ને પણ પ્રશ્ન ઊભા થવા સ્વભાવિક છે .
અંબાજી મંદિર થી…
ગબ્બર ૨૬, ૪૪,૧૯ કી.મી.
અંબાજીમંદિર  થી કૈલાશ ટેકરી, ગબ્બર , કોટેશ્વરધામ ૩૭ કી.મી.
અંબાજી મંદિર  થી પાન્સા – ૫૦ કી.મી
અંબાજી મંદિર થી અમદાવાદ – ૩૮૮ કી.મી
જેવા ખોટા અંતર / કિલોમીટર લોગ બુક માં ઉધારી સરકારી વાહન અને નાણાં નો દુરુપયોગ કરી ,અરજદાર ને ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરેલ છે .જે બાબતે માહિતી આપનાર સામે બી.એન.એસ.એક્ટ – ૨૦૨૩ ની કલમ ૧૯૮- ૧૯૯ મુજબ ફોજદારી રાહે કાર્યવાહી કરવા અંગે અરજદાર ને ફોજદારી ફરિયાદ  કરવા ની મંજૂરી આપવા અરજ કરી છે.જેનો પણ હજુ સુધી કોઈ પ્રત્યુત્તર સંબંધિત અધિકારી દ્વારા અપાયેલ નથી ત્યારે આ સમગ્ર બાબતો માં શું કોઈ ઉપલા અધિકારી ની પણ સંડોવણી છે કે પછી બધું ઉપલા અધિકારીઓ ની રહેમ નજર હેઠળ જ ચાલી રહ્યું છે જેવા પ્રશ્નો સાથે નિષ્પક્ષ ન્યાય ની આશ લઈ બેઠા અરજદાર ને ન્યાય મળે તે પણ જરૂરી છે.

રિપોર્ટર…. અમિત પટેલ અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર શહેરમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી સંદર્ભે કમિશનરશ્રી એન.કે.મીણાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.

રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર…

સિહોર શહેર ભાજપના લેટરકાંડ અંગે સીટ (SIT) દ્વારા તપાસ કરી તથ્યો બહાર લાવવા જયરાજસિંહ મોરીની માંગ

હોર શહેર ભાજપ માં હાલ માં જે ભ્રષ્ટાચાર નો આક્ષેપ કરતો પત્ર વાયરલ થયો છે જેમાં…

1 of 8

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *