Education

તળાજાની શૈક્ષણિક ક્રાંતિ: માત્ર ૬ વર્ષમાં ૨૨૦૦+ વિદ્યાર્થીઓના વિશ્વાસ સાથે ‘જય જનની સાયન્સ સ્કૂલ’ બની નંબર-૧

તળાજા, તા.8
શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પરિણામ અને શ્રેષ્ઠ શિસ્ત માટે જાણીતી તળાજાની ‘જય જનની સાયન્સ સ્કૂલ અને હોસ્ટેલ’ એ એક નવો ઈતિહાસ રચ્યો છે. માત્ર ૬ વર્ષના ટૂંકા ગાળામાં શાળાએ શૂન્યમાંથી સર્જન કરી આજે ૨૨૦૦થી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા સાથે સમગ્ર પંથકમાં પ્રથમ હરોળનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સફળતા પાછળ શાળાનું પરિણામલક્ષી શિક્ષણ અને મજબૂત વ્યવસ્થાપન જવાબદાર છે.

વર્ષ દર વર્ષે વધતી લોકપ્રિયતા અને પરિણામ:

શાળાની પ્રગતિના આંકડા તેની સફળતાની સાક્ષી પૂરે છે. વર્ષ ૨૦૧૯માં ૩૦૧ વિદ્યાર્થીઓથી શરૂ થયેલી આ સફર આજે ૨૦૨૪-૨૫ સુધીમાં ૨૧૦૦+ ને પાર કરી ગઈ છે અને ૨૦૨૬ સુધીમાં આ આંકડો હજુ પણ નવી ઊંચાઈઓ સર કરશે. એસ.એસ.સી. બોર્ડના પરિણામોમાં પણ શાળાએ હરણફાળ પ્રગતિ કરી છે, જેમાં A1 અને A2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ગત વર્ષે શાળાના ૪૯% વિદ્યાર્થીઓએ A1/A2 ગ્રેડ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે.

આગામી શૈક્ષણિક સત્ર ૨૦૨૬ માટે જય જનની સાયન્સ સ્કૂલ દ્વારા એક નવી અને અનુભવી ‘MBBS મેકર’ ટીમ કાર્યરત કરવામાં આવી છે. જેમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અને મેથ્સ જેવા વિષયો માટે ૧૫ વર્ષ સુધીનો બહોળો અનુભવ ધરાવતા નિષ્ણાંત શિક્ષકો જોડાયા છે. શાળાની વિશેષતા એ છે કે અહીં સાયન્સના વિદ્યાર્થીઓ માટે પ્રથમ દિવસથી જ બે વર્ષનું સંપૂર્ણ મેપિંગ, ડેઈલી કાઉન્સેલિંગ, હોસ્ટેલ નાઈટ કોચિંગ અને અનુભવી ફેકલ્ટી દ્વારા પર્સનલ ડિફિકલ્ટી સોલ્યુશન જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.

ધોરણ-૧૧ સાયન્સના ડેમો લેક્ચરનો પ્રારંભ:

નવા સત્ર માટે ધોરણ-૧૧ સાયન્સના ૧૦ દિવસના ફ્રી ડેમો લેક્ચર  શરૂ થઈ રહ્યા છે. આ ૧૦ દિવસ દરમિયાન વિદ્યાર્થીઓ માટે વાહન સુવિધા અને હોસ્ટેલ સુવિધા તદ્દન મફત રાખવામાં આવી છે.

શાળાના ડાયરેક્ટર ભાવેશભાઈ કોરાડિયા અને પ્રિન્સિપાલ આશિષભાઈ કાપડિયાના જણાવ્યા અનુસાર, “પ્રમાણ ભી ઔર પરિણામ ભી” ના સૂત્રને સાર્થક કરતા અમારી સંસ્થાનો મુખ્ય ધ્યેય વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકિયું જ્ઞાન જ નહીં, પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અગ્રીમ હરોળમાં લાવવાનો છે.

તળાજા-ભાવનગર નેશનલ હાઈવે પર ભવાની હોટલ પાસે, બપાડા ખાતે આવેલી આ સંસ્થા આજે વાલીઓની પ્રથમ પસંદગી બની છે. વધુ માહિતી માટે વાલીઓ ૮૯૯૯૫ ૮૫૦૫૦ અથવા ૯૭૩૭૨ ૭૪૯૫૦ પર સંપર્ક કરી શકે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્દોરની પાવન ધરતી પર મહિસાગરના શિક્ષકશિલ્પી શ્રી અરવિંદભાઈ કાલિદાસ પટેલ બન્યા ગુજરાતનું ગૌરવ

મહારાષ્ટ્રના વર્ધામાં નોંધાયેલ “બાળરક્ષક પ્રતિષ્ઠાન” દ્વારા ઇન્દોર સ્થિત અહિલ્યા…

વૈદિક સનાતન ધર્મ છે” તો જ અન્ય પંથ-ધર્મ-રાષ્ટ્ર છે.- મનસુખ સુવાગીયા ચારણકી ગામે મનસુખભાઈ સુવાગીયાનું સન્માન કર્યું

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા) જળક્રાંતિ ટ્રસ્ટના પ્રમુખ, ફ્લોટેક કંપનીના માલિક…

1 of 18

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *