bhavnagarEducation

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

હબુકવડ પ્રા.શાળા માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

શાળા પ્રવેશોત્સવ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ

તા- ૨૩.૦૬.૨૦૨૬ના રોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત હબુકવડ પ્રા.શાળા મા ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અશોકભાઈ લાધવા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તળાજા નગરપાલીકાના ચીફ ઓફિસર દિલીપભાઈ તથા લાયઝન તરીકે નિલેશભાઇ મોરી ઉપસ્થિત રહયા હતા સાથે આ જ ગામના મહિલા સરપંચ જલ્પાબેન પંડયા તેમજ સ્થાનિક આગેવાનોની વિશેષ ઉપસ્થિતી રહી હતી.મોટી સંખ્યામાં વાલીઓ તેમજ યુવાનોએ આ કાર્યક્રમ માં ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.

કાર્યક્રમ ની સૌથી મહત્વની વિશેષતા એ રહી કે જિલ્લા પંચાયતના પ્રમુખ અને આ કાર્યક્રમના અધ્યક્ષ એવા અશોકભાઈ લાધવા એ ખાનગી શાળાનો મોહ છોડીને સરકારી પ્રાથમિક શાળા પર વિશ્વાસ મુકીને તેમના પુત્ર નક્ષ લાધવાને તેમની માતૃસંસ્થા હબુકવડ પ્રા.શાળામાં પ્રવેશ અપાવી સમાજ સામે એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યુ હતું
કાર્યક્રમની શરૂઆતમાં પ્રવેશપાત્ર બાળકોનું વાજતે-ગાજતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું મહેમાનોનું પુસ્તક, હાર અને શાલ આપી અભિવાદન કરવામાં આવ્યુ હતું મહેમાનો દ્રારા અને ઉપસ્થિત અધિકારીઓ એ નવા પ્રવેશ મેળવનાર બાળકોને વિધિવત રીતે પ્રવેશ આપવામાં આવ્યો હતો પ્રવેશપાત્ર બાળકોને આજ ગામના વડીલ એવા શ્રી વૃજલાલભાઇ અમૃતલાલભાઇ પંડયા એ શૈક્ષણીક કીટ અપર્ણ કરીને મુખ્યદાતા બન્યા હતાં.

પ્રસંગને અનુરૂપ સંબોધન કરતા જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યુ હતુ કે સરકારી શાળાઓમાં અનુભવી અને ઉચ્ચ લાયકાત ધરાવતા શિક્ષકો બાળકોને ગુણવત્તાયુકત શિક્ષણ આપે છે. બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. તેમણે વાલીઓ ને આહવાન કર્યું હતું કે ભવિષ્યના ભારતના ઉત્તમ નાગરીક બનવાની તાલીમ બાળકોને સરકારી શાળા જ આપી શકે તેથી ખાનગી શાળાનો મોહ છોડી સરકારી શાળામાં પ્રવેશ અપાવવો જોઈએ.

તળાજા નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી એ પણ પોતાના પ્રાસંગીક વક્તવ્યમાં જણાવ્યુ હતુ કે તેમણે પોતે પણ પ્રાથમિક શિક્ષણ સરકારી શાળામાં જ મેળવ્યુ છે સાથે પ્રવેશપાત્ર બાળકોને અભિનંદન પાઠવતાં ઉમદા ભવિષ્યની કામના વ્યક્ત કરી હતી.

કાર્યક્રમ ના અંતમાં અધિકારીશ્રીઓ અને મહેમાનો દ્રારા શાળાના પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ અને ત્યારબાદ આભારવિધી સાથે કાર્યક્રમની પુણૉહુતિ કરવામાં આવી હતી. કાર્યક્રમ નું સંચાલન ધોરણ-૮ ની બહેનો દ્રારા કરવામાં આવ્યુ હતું.

સમગ્ર કાર્યક્રમના અંતે શાળાનાં શિક્ષકશ્રી હિંમતભાઇ ઇશ્વરભાઇ લાધવા દ્રારા બાળકોને તિથીભોજન નિમિત્તે પાંઉભાજીનું ભોજન કરાવાવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે SMC તથા સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અધેવાડા ખાતે સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન દ્વારા 100 કરોડ મહામૃત્યુંજય જપમાળા અભિયાન સંકલ્પ શિબિર સંપન્ન

સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન (ઈન્ડિયા) ૧૦૦ કરોડ મહામૃત્યુંજય જપમાલા અભિયાન સંકલ્પ…

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

-ભાવનગર મેડિકલ કોલેજમાં રેગીંગની ફરિયાદની તાત્કાલિક તપાસના આદેશ, દોષિતો સામે થશે…

વડોદના ખેડૂત સંજયસિંહ ગોહિલની પ્રેરણાદાયી ગાથા પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોનું એડવાન્સ બુકિંગ થાય છે

ઉમરાળાના વડોદ ગામના પ્રગતિશીલ ખેડૂત સંજયસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ ૨૦૧૯થી…

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ દ્વારા વિદ્યાર્થીઓને યુનિફોર્મ અને રમતગમતની સામગ્રી વિતરણ કરાઈ

ભાવનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: કેરીયાવાડી પ્રાથમિક શાળામાં યુનિફોર્મ અને રમતગમત…

1 of 89

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *