Education

રાજુલા તાલુકાની શ્રી વિક્ટર પે સેન્ટર શાળા ખાતે પ્રવેશોત્સવ યોજાયો

GHCL – વિક્ટર દ્વારા પ્રવેશપાત્ર દરેક બાળકોને સ્કૂલ બેગ તથા સ્ટેશનરી આપવામાં આવી

ગુજરાત સરકાર અને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રગતિના પ્રવેશોત્સવ શિર્ષક હેઠળ 24 માં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવનું ભવ્ય આયોજન રાજ્ય વ્યાપી ચાલી રહ્યુ છે.

જે અંતર્ગત શ્રી વિકટર પે સેન્ટર શાળા (પ્રાથમિક), શ્રી વિક્ટર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના અધ્યક્ષ સ્થાને આયોજિત આ પ્રવેશોત્સવમાં આંગણવાડી, બાલવાટિકા, ધોરણ :- 1, ધોરણ 9, ધોરણ :- 11 તથા બેક ટુ સ્કૂલ અંતર્ગત શાળામાં પુનઃ પ્રવેશ મેળવનાર એમ કુલ 200 થી વધારે વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનશ્રી ચિંતનભાઈ જાની (આચાર્યશ્રી આઈ.ટી.આઈ. – રાજુલા) રવિન્દ્રકુમાર નાઈ સાહેબ, dy. Sp શ્રી રાજુલા તથા રેખાબેન મકવાણા (તાલુકા પંચાયત સદસ્યશ્રી) ઉપસ્થિત રહ્યાં હતાં. પ્રવેશોત્સવ અંતર્ગત દર વર્ષની માફક આ વર્ષે પણ GHCL – વિક્ટર દ્વારા પ્રવેશપાત્ર દરેક બાળકોને સ્કૂલ બેગ તથા સ્ટેશનરી આપવામાં આવી હતી જેણે નવા બાળકોનો ઉત્સાહ અનેક ગણો વધારી દીધો હતો.

પ્રવેશોત્સવ અંતર્ગત શાળામાં મહેમાનશ્રીઓનું સ્વાગત, પ્રવેશોત્સવ, શાળાકીય પરીક્ષાઓ, બાહ્ય પરીક્ષાઓ તથા રમત ગમત ક્ષેત્રે અનેરી સિધ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ઇનોવેટિવ શિક્ષક તરીકે શ્રી વિક્ટર પે સેન્ટર શાળા – રાજુલામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા લખનભાઇ જાનીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

પ્રવેશોત્સવ દરમિયાન શાળાની SMC ના સભ્યશ્રીઓ, SMDC ના સભ્યશ્રીઓ, વિક્ટર ગ્રામ પંચાયતના સરપંચશ્રી, ઉપચારપંચશ્રી તથા સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંકલન શાળાના શિક્ષિકા બહેનશ્રી હેતલબેન ચાંડેરા તથા શિલ્પાબેન ત્રિવેદીએ કર્યું હતું.

કાર્યક્રમના અંતે પધારેલ સૌ મહેમાનશ્રીઓ તથા વાલીગણનો શાળા પરિવાર દ્વારા આભાર માનવામાં આવ્યો હતો. એટલું જ નહિ પણ આ કાર્યક્રમ શિક્ષણરૂપી જ્યોતને સતત પ્રજવલિત કરતા રહેવાની ભાવના સાથે પૂર્ણ કરવામાં આવ્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ દ્વારા વિદ્યાર્થીઓને યુનિફોર્મ અને રમતગમતની સામગ્રી વિતરણ કરાઈ

ભાવનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: કેરીયાવાડી પ્રાથમિક શાળામાં યુનિફોર્મ અને રમતગમત…

વૈદિક સનાતન ધર્મ છે” તો જ અન્ય પંથ-ધર્મ-રાષ્ટ્ર છે.- મનસુખ સુવાગીયા ચારણકી ગામે મનસુખભાઈ સુવાગીયાનું સન્માન કર્યું

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા) જળક્રાંતિ ટ્રસ્ટના પ્રમુખ, ફ્લોટેક કંપનીના માલિક…

1 of 18

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *