Latest

દાંતા તાલુકામાં 73AA થી જે તે ઉધોગોમા ફેરવાયેલી જમીનોમાં શરત ભંગ, મોટાભાગની જમીનોમાં ઉધોગ શરૂ થયા નથી

આદિવાસી સમાજ થી જમીન માફિયાઓએ જમીન ક્લીયર કરાવી કેટલાયને વેચી!

બનાસકાંઠા જિલ્લો અંતરિયાળ આદિવાસી સમાજની વસ્તી અને બહુમતી ધરાવતો જિલ્લો છે.આ જિલ્લામાં આવેલા દાંતા,અમીરગઢ અને હડાદ તાલુકામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજ વસવાટ કરે છે.આદિવાસી સમાજ જમીન વિહોણા ન થાય તે માટે 73AA કાયદો અમલમાં લાવવામાં આવ્યો હતો.આદિવાસી સમાજ ને જમીન અગર વેચવાની થાય તો તેને કલેક્ટર પાસે સૌપ્રથમ મંજૂરી માંગવાની હોય છે અને ત્યારબાદ ગુજરાત સરકારના મહેસુલ વિભાગની મંજૂરી બાદ આ જગ્યા અમુક ઉધોગ માટે ફાળવવામાં આવતી હોય છે.

દાંતા તાલુકાના અંબાજી, કુંભારીયા,પાનસા, ઝરીવાવ, ચીખલા અને પાન્સા વિસ્તારની આદિવાસીઓની હેતુફેર થયેલી જમીનોની હાલની સ્થિતિની તપાસ કરવામાં આવે તો આદિવાસી સમાજ હજુ પણ ગરીબ અવસ્થામાં જોવા મળે છે, જ્યારે આદિવાસીની જમીન લેનારા જમીન માફીયાઓ કરોડપતિ બની ગયા છે અને આ જમીન જે હેતુ માટે પાસ થઈ હોય કે જે ઉદ્યોગ માટે પાસ થઈ હોય તેના પર આજદિન સુધી ઉધોગ શરૂ થયા નથી અને આવી જમીનો પણ જમીન માફીયાઓ ઘણા લોકોને વેચી રહ્યા છે.

:-73AA ની ફાઈલો ચલાવતા જમીન માફીયાઓ અને દલાલો પર કાર્યવાહી ક્યારે?:-

અંબાજી આજુબાજુ જ મ.કાં ની 73AA ની જમીનોમાં નિયમ તોડીને કરવામા આવતી સટ્ટાખોરીની માયાઝાલ સમજીએ 73AA સત્તા પ્રકારની જમીનમાં સૌ પ્રથમ જમીન માલિક આદિવાસી સુધી પહોંચવાનું અને ત્યારબાદ 73AAની મંજૂરી માટે સરકારમાં કાર્યવાહી કરવાની.જમીન માફીઆઓના તાર એટલા મજબૂત છે કે,આ કાર્યવાહી એટલી જટિલ અને મોંઘી છે કે આ માટેના સ્પેશ્યલિસ્ટ જ આ કાર્ય કરાવી શકે.જેમાં હવે તલાટી થી લગાવીને મહેસુલ સચિવ સુધી આ ફાઈલ ક્લિયર કરાવવાની
73 AA કાયદાનો મૂળભૂત હેતુ એ છે કે આ ક્ષયદો આદિવાસીઓની જમીનો સુરક્ષિત રહે આદિવાસી જમીન વિહોણા ના થાય અને આદિવાસીની જમીન બઝાર ભાવ કરતા સસ્તામા ના પડાવી લે એ ઉદ્દેશ થી આ કાયદો સુધારા સાથે 1983 મા ગુજરાત વિધાનસભા એ પાસ કર્યો હતો.

:- શરત ભંગની કાર્યવાહી ક્યારે :-

અંબાજી આજુબાજુ માર્બલ ઉદ્યોગ હોવાથી અહીંયા માર્બલ ઉદ્યોગ, માર્બલ કુટિર ઉદ્યોગ માટે મંજૂરી આપવામાં આવે છે,આ મંજૂરીનો ઉદ્દેશ એ જ હોય કે પછાત વિસ્તારમાં ઉદ્યોગ ચાલુ થાય અને આ વિસ્તારના લોકોને રોજગારી મળે હવે આ માટે નાના ઉદ્યોગ હોય તો જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં નોંધણી કરાવી પડે, મોટા ઉદ્યોગ હોય તો રાજ્યમાં નોંધણી કરાવવી પડે આ બધીજ પ્રકિયા 73AA ની મંજૂરી માટેની કાર્યવાહીની ફાઈલમાં જોડવા પડે છે,એટલે આ મંજૂરી એટલા માટે માંગવામાં આવે છે કે ઉદ્યોગ ચાલુ કરીને આ વિસ્તારમાં રોજગારીનું સર્જન કરવાનું છે, પણ વાસ્તવિકતા એ છે કે આ મંજૂરી મળ્યા પછી NA થયા પછી કોઈ ઉદ્યોગ ચાલુ થતા નથી.

:- 73AA ક્લિયર થયેલી જમીનો પર કેમ ઉધોગો શરૂ થતા નથી?:-

ઉદ્યોગ ચાલુ કર્યા વગર શરત ભંગ કરીને જમીન રીસેલ થાય, ફરી થી રીસેલ થાય આમ આ જમીન ની સટ્ટાખોરી ચાલતી રહે છે.73AA ની મંજૂરી મળ્યા પછી જે શરતે મંજૂરી આપી છે એ શરતનો અમલ ના થયો હોય તો એ શરત ભંગની કાર્યવાહી થવી જોઈયે એ થતી નથી.

રિપોર્ટર અમિત પટેલ અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *