Latest

48 કલાક નો અલટીમેટમ, હિન્દૂ હિત રક્ષા સમિતિ દ્વારા અંબાજી મંદિર મા મોહનથાળ નો પ્રસાદ બંદ ન કરાયે તે માટે ઉગ્ર આંદોલન ની ચીમકી ઉચારી

અંબાજી મંદિરમાં વર્ષોથી વેચાણ થતું મોહનથાળ પ્રસાદ ને બંધ કરવા ના નિર્ણય ને લઈ ગ્રામજનો વિરુદ્ધ પ્રદર્શન કર્યો છે. ત્યારે આજે રાત્રે હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા મોહનથાળ પ્રસાદ ને બંદ કરવા ના નિર્ણય ને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટને હિન્દુ રક્ષા સમિતિ દ્વારા 48 કલાકનું અલ્ટીમેટમ અપાયું છે ત્યારે જે અગર 48 કલાકમાં અંબાજી મંદિરમાં ફરીથી મોહનથાળ નો પ્રસાદ મંદિરમાં ચાલુ કરવામાં ન આવે તો ઉગ્ર આંદોલન ની ચીમકી ઉચારી છે.

હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા 48 કલાક મા અંબાજી મંદિરમાં મોહનથાળ ફરીથી ચાલુ ન કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. તો સાથે સાથે હિન્દુ રક્ષા સમિતિ ના સભ્યો દ્વારા અંબાજી બંધ રાખી અને ભૂખ હડતાલ પર ઉતરવાની પણ તૈયારીઓ કરવાની મશા દર્શાવી છે.

તો આજે રાત્રે અંબાજી ના 51 શક્તિપીઠ સર્કલ પર હિન્દુ રક્ષા સમિતિના કાર્યકર્તાઓ સાથે ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. ત્યારે હિન્દૂ હિત રક્ષા સમિતિ ની ઉગ્ર માંગ ઉઠી પામી છે કે અંબાજી મંદિરમાં મોહનથાળ નો પ્રસાદ ફરીથી ચાલુ કરવામાં આવે.

અંબાજી મંદિરમાં મોહનથાળ નો પ્રસાદ ફરીથી ચાલુ ન કરવામાં આવે તો અંબાજી ગામને બંધ રાખી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચારવા માં આવી છે .હાલમાં અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદ ના બદલે ચીકી પ્રસાદનું વિતરણ કરવાની વ્યવસ્થા નું આયોજન કરવામાં આવ્યું છે.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અત્યંત જટીલ સર્વાઇકલ સ્પાઇન સર્જરી સફળતાપૂર્ણ પૂર્ણ કરી દર્દીને નવજીવન બક્ષતા સ્પાઇન સર્જન ડૉ. જે.વી. મોદી

વિસનગર, સંજીવ રાજપૂત: અડેરણ તા. દાંતા ના વતની 60 વર્ષીય પ્રવીણભાઈ બાબુલાલ મોદીને…

રાજ્યના દૂર-દરાજના અંતરિયાળ ગામો સુધી એફોર્ડેબલ અને હાઈક્વોલિટી મોબાઈલ એન્ડ ડિજિટલ સર્વિસ મળતી થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગુજરાતમાં વધુને વધુ અંતરિયાળ વિસ્તારના ગામોને વડાપ્રધાન…

1 of 557

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *