Breaking NewsLatest

અમદાવાદ શ્રેય હોસ્પિટલ જેવું થયું પુરનાવર્તન: જામનગરની કોવિડ GG હોસ્પિટલમાં લાગી આગ. મોટી જાનહાની થતા બચી. ફાયર કર્મીઓને સલામ..

જામનગર: થોડા સમય અગાઉ અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી ભીષણ આગમાં આઠ દર્દીઓના મોતની કરૂણાંતિકાની હજુ શાહી સૂકાઇ નથી ત્યાં વધુ એક ઘટના જામનગરની જી.જી.હોસ્પિટલમાં બની છે. હોસ્પિટલના આઇસીયુ વિભાગમાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી અને દર્દીઓને તાબડતોબ બહાર કાઢવા માટે દોડધામ થઇ હતી. જો કે સદ્ નસીબે કોઇ જાનહાનિ સર્જાઇ નહતી. ફાયર વિભાગના કર્મીઓ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવતા એક મોટી દુર્ઘટના બનતા અટકી છે. ઘટનાની જાણ થતાં જ ચીફ ફાયર ઓફિસર કે કે બિશનોઈ તાત્કાલિક ટિમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગનો તાગ મેળવી તેઓએ પોતે 5 દર્દીઓ ને બહાર કાઢી ફાયર કર્મીઓની મદદથી અન્યત્ર શિફ્ટ કરી દીધા હતા. બીશ્નોઈ એ જણાવ્યું હતું કે થોડા સમય અગાઉ હું પોતે અહીં ICU માં દાખલ હતો જેના અનુભવના આધારે મેં દર્દીઓને બહાર કાઢ્યા.આમ 9 દર્દીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ફાયર ફાઈટરની 5 ગાડીઓની મદદથી આગ પર પૂર્ણ કાબુ મેળવાયો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વડોદરામાં નર્મદા નિગમે કેનાલો ઉપર ૧૩ કિમિ. લંબાઇમાં સોલાર પેનલથી ૨૯.૫૧ મિલિયન યુનિટ સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: કેનાલો ઉપર સોલાર પેનલ બેસાડી સૌર ઊર્જા ઉત્પન્ન કરવા માટે…

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તા. ૧૫ સપ્ટેમ્બર, રવિવારના રોજ રાજકોટ તથા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે

ડૉ. મનસુખ માંડવિયા ગુજરાતના રાજકોટમાં પશ્ચિમના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે…

1 of 662

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *