Latest

હિન્દુ નવ વર્ષ શુભારંભ પર મોડાસામાં ગાયત્રી પરિવારે મશાલયાત્રા સાથે શંખનાદ કર્યો

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ચૈત્ર સુદ એકમ- ગુડી પડવો એટલે હિન્દુ નવ વર્ષનો આજથી પ્રારંભ. ચૈત્રી નવરાત્રિનો પણ શુભારંભ. આજ ગાયત્રી ચેતના કેન્દ્રના ભાઈઓ બહેનોએ આ નવ વર્ષ શુભારંભ નિમિત્તે મશાલ પ્રાગટ્ય અને શંખનાદ સાથે જન જાગૃતિ હેતુ મશાલયાત્રાનું આયોજન કર્યું.

ગાયત્રી પરિવારની બહેનોએ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે આજ હિન્દુ નવ વર્ષ નિમિત્તે સૌના ઉજ્જવલ ભવિષ્ય માટે બપોરે ૩ થી ૫ બે કલાક ગાયત્રી મહામંત્રના સામુહિક જાપ તેમજ પ્રાર્થના કરી.

ત્યારબાદ નવ વર્ષનો શંખનાદ કરવા મશાલયાત્રા કાઢવામાં આવી. પ્રમુખ ધર્માભાઈ પટેલે મશાલ પ્રગટાવી શુભારંભ કર્યો. આ શંખનાદ મશાલયાત્રા ગાયત્રી ચેતના કેન્દ્રથી નિકળી જયઘોષ તેમજ શંખનાદ કરતાં કરતાં માલપુર રોડ પરના સોસાયટી વિસ્તાર ફરી મોડાસા નગરપાલિકા સંચાલિત શ્રીરામ શર્મા આચાર્યજી- સ્વાસ્થ્ય ઉદ્યાન- (એક્યુપ્રેશર પાથ) ખાતે સ્થાપિત વિચાર ક્રાન્તિ મશાલ સુધી પહોંચી ત્યાં સમાપન કરવામાં આવેલ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *