Latest

વલભીપુર અકસ્માત 6 ના મોત

રિપોર્ટર. ધમેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

ભાવનગરના વલભીપુર તાલુકામાં આઇસર ગાડી પલટી મારી જતા ભડભીડ ગામના છ મજૂરોના ઘટના સ્થળ પર કમ કમાટી ભર્યા મોત નીપજ્યાં બોટાદના જીંજાવદર ગામથી ભાવનગર લીલુંઘાસ ભરીને આવી રહ્યા હતા એ દરમિયાન મેવાસા ગામ નજીક આઇસર ગાડીનું ટાયર ફાટતા 10 ફૂટ નીચે પાણી ભરેલા ખાડામાં ખાબકતા છ મજૂરો દબાયા હતા જેનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું જ્યારે અન્યને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા

ભાવનગરના વલભીપુરમાં કરુણાતી કા ઘટના સામે આવી છે જેમાં આઇસર ગાડી પલટી મારી જતા 6 મજૂરો દબાયા હતા હાલ જે પ્રમાણે જાણકારી મળી રહી છે તે મુજબ નવઘણભાઈ રાઠોડ ઉ.21, કાવાભાઈ મકવાણા ઉ..45, સિતુભાઈ ચૌહાણ 58, અલ્પેશભાઈ વેગડ ઉ.22, મનીબેન રાઠોડ ઉ.19, કોમલબેન રાઠોડ ઉ.16 નું મોત થયું હતું જ્યારે એક મહિલા અને એક પુરુષને ગંભીર ઈજા પહોંચી હતી

જેને સારવાર અર્થે ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને લઇ વલભીપુર તાલુકા હોસ્પિટલ ખાતે રાજકીય નેતાઓ અને આગેવાનો દોડી આવ્યા હતા. હાલ પોલીસ દ્વારા બનાવા અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે લોકોના મોત નીપજતા ડિવાઇસપી સહિતનો પોલીસનો કાફલો સામૂહિક આરોગ્ય કેન્દ્ર વલભીપુર ખાતે દોડી આવ્યો હતો

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ અખબારનગર સર્કલ પાસે ગેરકાયદેસર દબાણો અને વાહનો પર ટ્રાફિક પોલીસ અને એએમસીની સયુંકત ડ્રાઈવ યોજાઈ

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદના નવાવાડજ અખબાર નગર પાસે ગેરકાયદેસર દબાણો કરતા…

27 મેના રોજ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે પીએમ મોદી ₹5,536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કરશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી બે દિવસીય ગુજરાતની મુલાકાતે…

1 of 603

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *