Latest

૧૦ જૂનના રોજ પાલનપુર ખાતે સીએમના હસ્તે જનસેવા કેન્દ્રનું લોકાર્પણ તેમજ જાહેર સભા યોજાશે

પાલનપુર: આગામી તા. ૧૦ જૂન- ૨૦૨૩ના રોજ પાલનપુર ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે નગરપાલિકાના જનસેવા કેન્દ્રનું લોકાર્પણ થનાર છે તથા પાલનપુર રામપુરા ચોકડી ખાતે મુખ્યમંત્રીશ્રીની જાહેર સભા યોજાનાર છે. આ કાર્યક્રમને અનુલક્ષી પાલનપુર કલેક્ટર કચેરી ખાતે કમિશનર ઓફ મ્યુનિસીપાલીટીઝ શ્રી રાજકુમાર બેનીવાલ અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી વરૂણકુમાર બરનવાલની ઉપસ્થિતિમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઇ હતી. બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમની તૈયારીઓ અંગે કરવાની થતી કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા અને આયોજનની સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેક્ટરશ્રી રીટા પંડ્યા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.આઇ.શેખ, પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વડોદરામાં નર્મદા નિગમે કેનાલો ઉપર ૧૩ કિમિ. લંબાઇમાં સોલાર પેનલથી ૨૯.૫૧ મિલિયન યુનિટ સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: કેનાલો ઉપર સોલાર પેનલ બેસાડી સૌર ઊર્જા ઉત્પન્ન કરવા માટે…

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તા. ૧૫ સપ્ટેમ્બર, રવિવારના રોજ રાજકોટ તથા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે

ડૉ. મનસુખ માંડવિયા ગુજરાતના રાજકોટમાં પશ્ચિમના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે…

1 of 553

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *