Latest

જામનગરના ઐતિહાસિક પ્રવાસન સ્થળ લાખોટા મ્યુઝિયમની મુલાકાત લેતા 79 વિધાનસભાના ધારાસભ્ય

જામનગર : ભારતીય જનતા પાર્ટીના વિકાસતીર્થ અભિયાન હેઠળ જામનગરના પ્રખ્યાત પ્રવાસન સ્થળ એવા લાખોટા મ્યુઝિયમની જામનગરના -૭૯ દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને મ્યુઝિયમમાં સ્થિત ઐતિહાસિક ચીજ વસ્તુઓની પ્રદર્શની નિહાળી હતી. જેઓની સાથે ભારત સરકારના ‘પવન હંસ’ના ડાયરેક્ટર અમીબેન પરીખ તેમ જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા પણ જોડાયા હતા.

જામનગરના -૭૯ દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી કે જેઓએ ગઈકાલે બપોરે સમય કાઢીને ભારતીય જનતા પાર્ટીના વિકાસ તીર્થ અભિયાન હેઠળ જામનગરના ઐતિહાસિક લાખોટા કોઠા ની સાથેના મ્યુઝિયમ ની મુલાકાત લીધી હતી, અને તેમાં મુકાયેલા રાજાશાહી વખતના શસ્ત્રો તથા અન્ય પેઇન્ટિંગ સહિતની સામગ્રી તેમજ ઐતિહાસિક ચીજવસ્તુ વગેરેનું નિરીક્ષણ કરાયું હતું, અને તેની જાળવણી અંગેની વ્યવસ્થા નિહાળી હતી.

થોડા સમય પહેલાં વીજળી પડવાના કારણે લાખોટા કોઠા ને ભારે નુકસાની થઈ હતી, પરંતુ મહાનગરપાલિકા દ્વારા જે જે વિભાગમાં નુકસાની થઈ હતી, તેની મરામતની કામગીરી પૂર્ણ કરી લેવાઇ છે, અને હાલમાં લાખોટા મ્યુઝિયમ માં જામનગર સહિતના મુલાકાતીઓ નિદર્શન માટે આવી રહ્યા છે. જે સ્થળની ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકાના પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ વિભાગના અધિકારી રાજીવ જાની અને તેમની ટીમ તથા ક્યુરેટર શ્રી ચૌઘરી અને તેમની ટિમ પણ સાથે જોડાઈ હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

1 of 592

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *