Latest

કન્સ્ટ્રકસન સબ ડિવિઝન જેટકો ઉપલેટા ના કર્મચારી જે એસ મકવાણા નો વિદાય સમારોહ યોજાયો.

જેટકો ના કન્સ્ટ્રકસન સબ ડિવિઝન ઉપલેટા ખાતે ફરજ બજાવતા લાઈન ઇન્સ્પેક્ટર શ્રી જે એસ મકવાણા ને નોકરીમાં વયમર્યાદા પૂરી થવાથી  નિવૃત્ત થતાં વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો, આ પ્રશંગે કન્સ્ટ્રકસન સબ ડિવિઝન જેટકો ઉપલેટા ખાતે નાં લાઈન ઇન્સ્પેક્ટર તરીકે નિવૃત થયેલ શ્રી જે એસ મકવાણા ને જૂનાગઢ વર્તુળ કચેરી જેટકો ના અધિક્ષક ઈજનેર શ્રી એલ એમ ખાનપરા દ્વારા ફુલહાર , સાલ ઓઢાડી વિદાય માન આપવામાં આવ્યું હતું.

તેમજ કાર્યપાલક ઇજનેર શ્રી ડી સી વૈષ્નાણી દ્વારા સન્માન પત્ર અને નાયબ ઇજનેર શ્રી એન જે માકડિયા દ્વારા સ્મૃતિચિહ્ન સ્વરૂપે ચાંદીનોસિક્કો આપવામાં આવ્યો હતો.તેમજ જુનિયર ઇજનેર આર વાય પરમાર અને કે એન સોજીત્રા દ્વારા મોમેંટો આપી વિદાય માન આપવામાં આવ્યું હતું.આ વિદાય સમારોહ પ્રસંગે માં જેટકો વર્તુળ કચેરી જૂનાગઢ ના અધિક્ષક ઇજનેર શ્રી એલ એમ ખાનપરા પ્રાસંગિક ઉદબોધન કરી નિવૃત્ત થનાર જે એસ મકવાણા ભાઇ ને તેમનું જીવન નીરોગમય અને સુખમય રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.

વિશેષ આ કાર્યક્રમ માં રાણાવાવ ડિવિઝન નાં કાર્યપાલક ઇજનેર શ્રી બી જે બાપોદરા , માણાવદર ડિવિઝન નાં કાર્યપાલક ઇજનેર શ્રી યુ એન કણસાગરા ,તેમજ જૂનાગઢ કન્સ્ટ્રકસન ડિવિઝન તાબા હેઠળ ના તમામ નાયાબ ઈજનેર સહિત જુનિયર ઇજનેરો, સ્ટાફ સહિત એજેંસી મિત્રો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ નું સફળ આયોજન નાયાબ ઇજનેર એન જે માકડિયા દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ તેમણે આ પ્રસંગ ને યાદગાર બનાવવા બદલ સૌ વ્યક્તિ નો આભાર વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમ બાદ સ્ટાફ મિત્રો અને અધિકારીઓએ સ્વરુચિ ભોજન લઇ
કાર્યક્રમ પૂર્ણ થયો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *