Latest

ભાવનગરમાં રમતવીરોનું સન્માન કરતા ગૃહ રાજ્યમંત્રી અને રમત-ગમત મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવી

ઓમ સેવા ધામ’ સંસ્થા આaયોજિત ‘માધવ છે સંગાથે’ કાર્યક્રમમાં મંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ, સંસ્થાના વડીલો દ્વારા મંત્રીશ્રીનું સન્માન

લોકોની મદદ કરવી એ ભાવનગર અને ગુજરાતના લોકોનો સ્વભાવ છે : મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવી

108 ભૂલકાંઓએ બાળકૃષ્ણની વેશભૂષા ધારણ કરી મંત્રીશ્રીનું અભિવાદન કર્યું

ભાવનગર, શુક્રવાર
ભાવનગરમાં આજે ગૃહ રાજ્યમંત્રી અને રમત-ગમત મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ ‘ઓમ સેવા ધામ’ સંસ્થા આયોજિત ‘માધવ છે સંગાથે’ કાર્યક્રમમાં રમતવીરોનું સન્માન કર્યું હતું. ઉપરાંત કાર્યક્રમમાં ‘ઓમ સેવા ધામ’ના વડીલો, રોટરી ક્લબ સહિતની સંસ્થાઓ દ્વારા મંત્રીશ્રીનું સન્માન કરવામાં આવ્યું હતું.

વિવિધ રમતોનાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સિદ્ધિઓ હાંસલ કરનારાં રમતવીરોને સન્માનિત કરી મંત્રીશ્રીએ પ્રોત્સાહિત કર્યા હતા. બીજી તરફ ભાવનગરની વિવિધ સંસ્થાઓ અને  સંગઠનો દ્વારા મંત્રીશ્રીનું સન્માન કરી તેમનું સ્વાગત અને અભિવાદન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે કાર્યક્રમમાં 108 ભૂલકાંઓએ બાળકૃષ્ણની વેશભૂષા ધારણ કરી મંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું

મંત્રીશ્રીએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે ‘ઓમ સેવા ધામ’  સંસ્થા નિ:સહાય વડીલોનું આશ્રયસ્થાન બની ખરેખર વંદનીય કાર્ય કરી રહી છે. ખર્ચની રકમ મળી જાય એટલે કોઇ સંસ્થા સફળ નથી થઇ જતી.

સંસ્થાના સંચાલકોની વિચારસરણી, આસપાસના નાગરિકોનો સહયોગ અને અથાગ પરિશ્રમ બાદ જ સંસ્થા સફળ બની શકે છે અને લોકોના જીવનમાં પરિવર્તન લાવી શકે છે. લોકોને મદદ કરવી એ ભાવનગરનો અને આપણાં ગુજરાતનો સ્વભાવ છે.

આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી સેજલબહેન પંડ્યા, મહંત શ્રી ગરીબદાસબાપુ, આધ્યાત્મિક ગુરૂશ્રી શૈલેષદાદા પંડિત, આગેવાન શ્રી ડો. રાજીવ પંડ્યા, આગેવાન શ્રી ભરતભાઇ મેર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વડોદરામાં નર્મદા નિગમે કેનાલો ઉપર ૧૩ કિમિ. લંબાઇમાં સોલાર પેનલથી ૨૯.૫૧ મિલિયન યુનિટ સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: કેનાલો ઉપર સોલાર પેનલ બેસાડી સૌર ઊર્જા ઉત્પન્ન કરવા માટે…

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તા. ૧૫ સપ્ટેમ્બર, રવિવારના રોજ રાજકોટ તથા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે

ડૉ. મનસુખ માંડવિયા ગુજરાતના રાજકોટમાં પશ્ચિમના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે…

1 of 553

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *