Latest

જામનગરથી અમદાવાદની વંદે ભારત ટ્રેનનો પીએમ મોદીએ કરાવ્યો શુભારંભ

જામનગર, સંજીવ રાજપૂત: પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીએ વર્ચ્યુઅલી દેશમાં 9 નવી વંદે ભારત ટ્રેનનો શુભારંભ કરાવ્યો છે જેમાંની એક ટ્રેન એટલે કે જામનગર થી અમદાવાદની વંદે ભારતે ટ્રેનનો આજે શુભારંભ થયો છે. જામનગર રેલવે સ્ટેશન ઉપર સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ જાડેજા, મેયર વિનોદભાઈ ખીમસુરીયા, શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગથરા, જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઈ મુન્દ્રા અને રેલવેના ડીઆરએમ અશ્વિની કુમારની ઉપસ્થિતિમાં ટ્રેનનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો.

જામનગર છેવાડાનો જિલ્લો હોય અહીંથી વંદે ભારત જેવી ટ્રેન શરૂ થતા લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો, મંગળવારને બાદ કરતા અઠવાડિયામાં આ ટ્રેન એક જ દિવસમાં અમદાવાદથી પાછી ફરી રહી હોય બ્રાસપાટ ઉદ્યોગકારો, વિદ્યાર્થીઓ તેમજ અન્ય પ્રવાસીઓ માટે વંદે ભારત ટ્રેન આશીર્વાદરૂપ સાબિત થનારી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

પાટણ માર્કેટ યાર્ડમાં વિવિધ જણશોની બંમ્પર આવક સાથે તમાકુયાડૅમાં પણ ૪૦ હજારથી વધુ બોરીઓની આવક થઈ

પાટણ: એ.આર,એબીએનએસ : રવિવાર સહિત તહેવારોની રજા મળી ત્રણેક દિવસ બાદ મંગળવારે શરૂ…

1 of 592

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *