જામનગર: જામનગરના ધ્રોલ ખાતે તાલુકામાં 2019-20 ખરીફ ઋતુનો પાક વીમો ચૂકવવા અને ચાલુ ખરીફ ઋતુમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના નો અમલ કરવા બાબતે ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ગત વર્ષ દરમ્યાન તાલુકામાં વાવણી પહેલા પછીના જોખમ પેટે ખેડૂતોને મોટું નુકસાન થવા પામ્યું હતું. જેનો રાજ્ય સરકારના અધિકારીઓ દ્વારા સર્વે પણ કરવામાં આવ્યો હતો જેમાં જિલ્લા કક્ષાએ મળતી DLMC સમિતિમાં પણ સ્વીકારાયું હતું કે ખેડૂતોને નુકશાન થયેલ છે અને 25% વીમો મળવાપાત્ર છે જે વીમો મંજુર થયા બાદ પણ ધ્રોલ તાલુકાના ખેડૂતોને પાક વીમો ન આપવામાં આવતા ખેડૂતોમાં સરકાર પ્રત્યે રોષ જોવા મળ્યો હતો અને આ યીજનમાં સરકાર પર રોષ ઠાલવતા અને વિવિધ આક્ષેપો સાથે ધ્રોલ મામલતદાર કચેરી ખાતે ધરણા યોજી તેને તાત્કાલિક ચુકવવામાં આવે તે માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં તો દ્વારા સરકારની કિસાન વીમા યોજના તદ્દન નિષફળ સાબિત થઈ હોય અને સરકારે ખેડૂતોને માવઠાથી થયેલ નુક્શાનનું વળતર ન આપવાના આક્ષેપ સાથે સરકારના વિરોધમાં સુત્રોચાર કર્યા હતા. ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા, ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના ઉપ્રમુખ ગિરધરભાઈ વાઘેલા, કરણદેવસિંહ જાડેજા, જામનગર જિલ્લા કોંગ્રેસ કાર્યકરી પ્રમુખની આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂત ઉપસ્થિત રહી ઇન્ચાર્જ મામલતદારને આ તમામ બાબતોને ધ્યાનમાં લઈ ખેડૂતોનું વળતર તેમના ખાતામાં જમા થઈ જાય ઉપરાંત ધ્રોલ તાલુકા સિવાય અન્ય જે 16 તાલુકા છે તેમાં કિસાન યોજનાનો અમલ કરવામાં આવે તેમજ દર્શાવેલ માંગણીઓને ધ્યાનમાં લેતાની તમામ માહિતી મુખ્યમંત્રીશ્રી સુધી પહોંચાડવા માટેનું આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. ઉપરાંત આવનાર સમયમાં જો માંગણી પર ધ્યાન નહીં આપવામાં આવે તો જેમ ધ્રોલ ખાતે જનઆંદોલન કરવામાં આવ્યું છે તેમ આવનાર 20 તારીખે ભરૂચના નેતરાંગમાં, 23 મીએ પોરબંદરના રાણાવાવમાં અને 24મીએ દ્વારકાના કલ્યાણપુરમાં પણ જન આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામા આવી હતી. તો આ બાબતે આવેદન પત્ર સ્વીકારતા ઇન્ચાર્જ અધિકારી દ્વારા આ બાબતે તમામ માહિતી મુખ્યમંત્રી શ્રીને મોકલી ધ્યાન દોરવામાં આવશે તેની ખાતરી આપી હતી.
જામનગરના ધ્રોલ તાલુકામાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો અમલ કરવા બાબતે ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર આપાયું
GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.
Related Posts
અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી
અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જામનગર જિલ્લા ફરિયાદ સહ-સંકલન સમિતિની બેઠક યોજાઈ
જામનગર સંજીવ રાજપૂત, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જામનગર…
વિશ્વ પયૉવરણ દિન અંતર્ગત હારીજ APMC ખાતે વૃક્ષારોપણ કરાયું.
રાધનપુર,એ.આર. એબીએનએસ : "એક પેડ માં કે નામ" વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે…
જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ
જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…
અર્થકોન- 2025માં મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ગુજરાત નિર્માણ એવોર્ડનો સન્માન સમારોહ યોજાયો
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે આયોજિત…
હારીજ-રાધનપુર હાઈવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો, બે યુવાનો ઈજાગ્રસ્ત
રાધનપુર. અનિલ રામાનુજ, એબીએનએસ : પાટણ જીલ્લાના હારીજ-રાધનપુર હાઈવે પર CNG…
રાજ્યમાં બીચ ક્લીન-અપ ડ્રાઇવમાં ૧,૬૪૦ નાગરીકોએ ૧૮,૩૫૦ કિ. ગ્રા. કચરો એકત્રીત કરી વિવિધ ૧૨ બીચને સ્વચ્છ કર્યા
અમદાવાદ, સંજીબ રાજપૂત: વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે, વન અને…
દલિત યુવાનના મૃત્યુ સંદર્ભે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને કડક કાર્યવાહીના આદેશ આપતા પૂર્વ સાંસદ ડૉ. કિરીટભાઈ સોલંકી
અમરેલી, સંજીવ રાજપૂત: ગુજરાતમાં દિન પ્રતિદિન અનુસૂચિ જાતિ વર્ગના લોકો ઉપર…
વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત સાબરડેરી દ્વારા પ્રકૃતિ જતન અને પર્યાવરણ સંરક્ષણ હેતુ સામૂહિક વૃક્ષારોપણ અભિયાન હાથ ધરાયું
કપિલ પટેલ દ્વારા અરવલ્લી વિકસિત અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સહકારી…
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી,બનાસકાંઠા
દાંતા વન વિભાગ દ્વારા ૭૪૦ કિલો પ્લાસ્ટીકનો કચરો એકત્રિત કરીને પર્યાવરણ દિવસની…