Latest

ચોટીલા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા બાઈક રેલી યોજી પરષોત્તમ રૂપાલાના વાણિવિલાસના વિરોધમાં ચોટીલા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

સમગ્ર ગુજરાતમાં હાલ પરષોત્તમ રૂપાલાનો વિવાદ ચાલી રહ્યો છે ગુજરાતના ગામડાઓમાં જો રૂપાલાની રાજકોટ લોકસભાની ટિકિટ રદ નહીં થાય તો ભાજપને પ્રવેશ આપવામાં નહીં આવે એવા પોસ્ટરો લાગી ગયા છે

ત્યારે સમગ્ર રાજ્યના ક્ષત્રિય સમાજમાં ઉદભવેલો રોષ આજે ચોટીલામાં પણ દેખાયો ચોટીલા ગિરાસદાર સમાજની વાડીએ ખુબ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ ભેગા થઇ બાઈક રેલી યોજી હતી જેમાં રાજપૂત કરણી સેના ચોટીલા અને સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજ મામલતદાર કચેરીએ ઘસી ગયા હતા

જ્યાં ક્ષત્રિય સમાજ દ્વારા પરસોતમ રૂપાલાની ટિકિટ રદ થાય અને તેને સજા થાય તેવા સુત્રોચાર સાથે ઉગ્રતાપૂર્વક માંગ કરવામાં આવી વધુમાં ભાજપ પક્ષ બીજા કોઈને પણ ટિકિટ આપે અમને ભાજપ અને કોઈ પણ સમાજ સામે વાંધો નથી.

ફક્ત પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય એવુ એક સૂરે માંગ કરવામાં આવી સાથે ચોટીલા વિશ્વ ગૌ સવર્ધન પરિસદના રાષ્ટ્રીય અધ્યક્ષ સહિત તેમની ચોટીલા ગૌરક્ષક ટીમ પણ ઉપસ્થિત રહી ટેકો જાહેર કર્યો હતો

અહેવાલ લધુભાઈ ધાધલ ચોટીલા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 630

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *