Election

રાજકોટ લોકસભાના ઉમેદવાર દ્વારા રાજપૂત સમાજ વિષે અભદ્ર ટીપ્પણી મામલે દાંતા રાજપુત ક્ષત્રિય સમાજે રેલી કાઢી આવેદનપત્ર આપ્યુ

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરૂષોતમ રૂપાલા દ્રારા રાજકોટ શહેરમાં જાહેરસભા યોજવામાં આવેલ હતી.જે સભામાં પુરૂષોતમ રૂપાલા દ્રારા રાજપૂત સમાજને છાજે નહી અને સમાજની ગરીમા અને નારીશકિતનું જાહેરમાં અપમાન કર્યુ હતુ.જે નિવેદનને લઈ ગુજરાત તેમજ અન્ય રાજયોના રાજપૂત સમાજમાં ભારે રોષ ફેલાયેલો છે.

વધુમાં, પુરૂષોતમ રૂપાલા દ્રારા ક્ષત્રિય રાજપૂતોના ભવ્ય અને ગરિમાપૂર્ણ ઈતિહાસને લજવતા પાયાવિહોણી વાતનો બફાટ અને વાણી વિલાસ કરીને સમગ્ર દેશમાં રાજપૂત સમાજની લાગણી દુભાવી છે હતી.જેમાં અત્રેના દાંતા તાલુકામાં વસતા તમામ રાજપૂત સમાજે આજે આ બાબતે રોષ વ્યકત કરી તમામ રાજપૂત સમાજ દ્વારા પુરૂષોતમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા તથા કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યુ હતુ.

:- સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજે વિરોધ કર્યો છે :-

પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી બાદ મામલો સમગ્ર ગુજરાતમાં વિવાદ બહાર આવતા પુરુષોત્તમ રૂપાલા દ્વારા બે વખત માફી માગવામાં આવી હતી પરંતુ ક્ષત્રિય સમાજ હજુ સુધી પુરુષોત્તમ રૂપાલા ને માફ કરવા લાયક નથી અને રાજકોટ ઉમેદવાર તરીકેની ટિકિટ તેની રદ કરવા સાથે ગામેગામ વિરોધ કરાઈ રહ્યો છે ।

રિપોર્ટ  પ્રહલાદ પૂજારી અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

1 of 5

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *