bhavnagar

બુધેલ ગામના પૂર્વ સરપંચ ભવાનીસિંહ મોરી ને એલસીબી દ્વારા ખોટી હેરાનગતિ ના વિરોધ માં ક્ષત્રિય કરણીસેનાદ્વારા ભાવનગર ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું

બુધેલ ગામના પૂર્વ સરપંચ ભવાની સિંહ મોરી ને ભાવનગર એલસીબી દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવી હતી ગઈકાલે રાત્રે બુધેલ ગામના લોર્ડ્સ હોટલની બાજુમાં એલસીબી નો કાફલો જાણે કોઈ આંતકવાદી હોય તેવી રીતે ખડકી દેવામાં આવ્યો હતો

ત્યારબાદ ભવાનીસિંહ મોરી સિહોર પોતાનું અંગત કામ પરથી પોતાના ગામે પહોંચતા પોલીસે તેમની ફોરવીલ ને અટકાયત કરી ભવાનીસિંહ દ્વારા કહેવામાં આવ્યું કે સાહેબ કયો ગુનો છે મારી ધરપકડ કરો છો તો પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની વાત કર્યા વિના ભવાનીસિંહ મોરી ને પ્રાઇવેટ કારમાં એસપી ઓફિસ ખાતે લાવવામાં આવ્યા હતા.

ત્યારબાદ ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજના આગેવાનો યુવાનો બહોળી સંખ્યામાં એકત્રિત થઈને અધિકારી સામે જવાબ માંગતા હતા કે આવા બુધેલ ગામના પૂર્વ સરપંચ અને ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ કરણી સેના પ્રતિષ્ઠિત નાગરિકને આવી રીતે ધરપકડ કરીને લાવવાનું કારણ શું છે તો એલ સી બી પી એસ આઇ ધ્રાંગુ દ્વારા કોઈપણ શબ્દ બોલવા તૈયાર નહોતા ત્યારે મોડી રાત્રે ભવાનીસિંહ મોરીને છોડી મૂકવામાં આવ્યા હતા

ત્યારે આજે સવારે ભાવનગર કલેકટર સાહેબ ને ક્ષત્રિય કરણીસેના પરિવાર ભાવનગર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું કે ધ્રાંગુંને શિક્ષાત્મક પગલાં લઈને કાર્યવાહી કરો અથવા સસ્પેન્ડ કરો અન્યથા કરણી સેના પરિવાર આખા ગુજરાતમાં આવેદનપત્ર આપશે અને વિરોધ કરશે

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઉમરાળા મામલતદાર કુમારી જાડેજા ના અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાના 79માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરાઈ

ઠોડા ગામે મામલતદાર કુમારી જે.ડી.જાડેજા એ ધ્વજવંદન કરી લોકોનું અભિવાદન ઝીલ્યું…

79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ ભાવનગર જિલ્લા કલેકટર મનીષ કુમાર બંસલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું

સ્વતંત્રતા પર્વને લઈને ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ…

રૂ.૪,૩૫,૧૦૦/-ના શંકાસ્પદ મુદ્દામાલ કબ્જે કરી બે ઇસમોને પકડી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

ભાવનગર શહેરમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી સંદર્ભે કમિશનરશ્રી એન.કે.મીણાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.

રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર…

1 of 62

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *