Latest

શિક્ષકની મેહનત રંગ લાવી, ગરીબ અને દૂરથી આવતી 10 દીકરીઓને સાયકલ અપાવી

પાલનપુર, સંજીવ રાજપૂત: સમગ્ર રાજ્યમાં 26 મી જૂનથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ શરૂ થયો છે. શાળાઓ બાળકોની કીકીયારીઓથી ગુંજી ઉઠી છે. નવા શૈક્ષણિક સત્રના પ્રારંભથી વિદ્યાર્થીઓ મન લગાવી અભ્યાસમાં પરોવાઈ રહ્યા છે. શિક્ષક અને વિદ્યાર્થીઓનો સંબંધ પ્રાચીન પરંપરાથી અવર્ણનિય રહ્યો છે. વિદ્યાર્થીના સંકટ સમયમાં ગુરુએ પોતાની ફરજ અદા કરી હોય, કે ગુરુના જ્ઞાનથી સફળતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીએ પોતાના ગુરુ નું ઋણ અદા કર્યું હોય એવું આપણી આસપાસ બનતુંહોય છે અને સમાચારોમાં ચમકતું હોય છે. આવા જ એક કિસ્સામાં ગુરુએ ગરીબ ઘરની વિદ્યાર્થીનીઓની ચિંતા કરી એક સાચા શિક્ષક તરીકેની જવાબદારી નિભાવી છે.

પાલનપુર નજીક ચડોતર ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી હેમાભાઈ પરમારે ગરીબ દીકરીઓ માટે એક બાપની ગરજ સારે એવું કામ કરી વિદ્યાર્થીઓમાં તેમજ ગામમાં અનેરું માન મેળવ્યું છે. સમગ્ર ગુજરાતમાં રાજકોટ ખાતે બનેલ ગેમિંગ ઝોન દુર્ઘટનાને લીધે શાળા ટ્રાન્સપોર્ટશન બંધ હોવાથી શાળામાં અભ્યાસ અર્થે દૂરથી આવતી, મા બાપ વિહોણી, તેમજ અતિ ગરીબ પરિવારની દીકરીઓને શાળા આવવા માટે કંઈક વ્યવસ્થા કરવાનો વિચાર શિક્ષક હેમાભાઈ પરમાર અને લોકમિત્ર ફારુક ભાઈને આવ્યો હતો.

આથી હેમભાઈ અને ફારૂકભાઈ પૂજ્ય મોરારી બાપુના આર્શીવાદથી આરતી મહિલા વિકાસ સંઘ , અમદાવાદ પ્રેરિત સાયકલ વિતરણ અભિયાન અંતર્ગત દાતાશ્રીઓની મદદ થકી રૂપિયા 60 હાજરની કિંમતે 10 સાયકલ લાવીને શાળા પ્રવેશોત્સવ- કન્યા કેળવણી મહોત્સવ પ્રસંગે 10 દીકરીઓને સાયકલ અપાવી તેમની તકલીફનું નિવારણ લાવ્યું હતું. શિક્ષક હેમાભાઈ પરમારના આ કાર્યથી ગરીબ દિકરીઓમાં ખુશી ફેલાઈ હતી. તેમજ ગ્રામજનોએ પણ તેમની વિદ્યાર્થીઓ પ્રત્યેની ભાવનાને બિરદાવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *