Latest

ધારાસભ્યની અધ્યક્ષતામાં જાંબુઘોડાના ખાંડીવાવ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

એબીએનએસ, ગોધરા (પંચમહાલ):આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ, પંચમહાલ દ્વારા હાલોલના ધારાસભ્ય અને પૂર્વ કૃષિ મંત્રી રહેલા જયદ્રથસિંહજી પરમારના અધ્યક્ષસ્થાને જાંબુઘોડા તાલુકાના છેવાડાના ગામ ખાંડીવાવ ખાતે પ્રાકૃતિક કૃષિપાક પરિસંવાદ યોજાયો હતો.

જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને પ્રચાર પ્રસાર થાય, તેમજ વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે હેતુથી ખાંડીવાવ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર હોર્ટીકલ્ચર ખાતે એક દિવસના પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.

આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી અંગે સરકારની વિવિધ યોજનાઓની માહિતી પણ આપવામાં આવી હતી. તેમજ પ્રાકૃતિક ખેતીના તમામ આયામોનું અને રોગજીવાત નિયંત્રણ માટેનાં વાનસ્પતિક અસ્ત્રો જે જીવાત પર નિયંત્રણ કરે છે તેનું પણ પ્રત્યક્ષ નિદર્શન યોજવામાં આવ્યું હતું.

ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરાય તે માટે પ્રગતિશીલ ખેડૂતો તેમજ વૈજ્ઞાનિકઓ દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું તેમજ તેનાથી થતા લાભ અંગે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરવાના સંકલ્પ લીધા હતા.

આ કાર્યક્રમનું સંચાલન પ્રોજેક્ટ ડાયરેકટરની કચેરી, આત્મા પ્રોજેક્ટ, ગોધરા-પંચમહાલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જાંબુઘોડા તાલુકા પંચાયત પ્રમુખ લાલસિંહભાઈ, એપીએમસીના ચેરમેન ભાવસિંગભાઈ, કૃભકોના એરીયા મેનેજર જયેશભાઈ પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી તેમજ નાયબ બાગાયત નિયામક અને પ્રોજેક્ટ ડાયરેક્ટર, જિલ્લાના અગ્રણી મયંકભાઈ દેસાઈ તથા મોટી સંખ્યામાં પુરુષ અને મહિલા ખેડૂતો જોડાયા હતાં.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ આત્મા પ્રોજેક્ટના વિવિધ માધ્યમો દ્વારા રાજ્યના દરેક વિસ્તારના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ કે રાજ્યમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના વ્યાપમાં વધારો અને ખેડૂતોનો ખેતી ખર્ચ બચાવવાનો છે. તેમજ જમીનની ફળદ્રુપતા તથા જીવસૃષ્ટિનું આરોગ્ય જળવાઈ રહે અને પર્યાવરણમાં પણ સંતુલન બનાવી રાખવાનો છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *