Ahmedabad

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદમાં 149 મી જગન્નાથજીની રથયાત્રા પૂર્વે અમદાવાદ શહેર ઝોન2 પોલીસ દ્વારા હિન્દૂ મુસ્લિમની એકતાના એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ ખાતે 149 મી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજવા જઇ રહી છે ત્યારે આ પર્વમાં હિન્દૂ મુસ્લિમ અને અમદાવાદ શહેર પોલીસની અનોખી એકતાનો સમન્વય જોવા મળે છે ત્યારે અમદાવાદ ઝોન 2 દ્વારા રથયાત્રાના રૂટમાં આવતા શાહપુર, માધુપુરા અને કારંજ પોલીસસ્ટેશનના સહયોગે રાઇફલ કલબ, ખાનપુર ખાતે એક ભવ્ય રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.

જેમાં ત્રણેય પોલીસ સ્ટેશનના પીઆઇ, પીએસઆઇ અને પોલીસ કર્મીઓ તેમજ મોટી સંખ્યામાં હિન્દૂ મુસ્લિમ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ભાવપૂર્ણ રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે જેસીપી સેકટર 1 નીરજ બડગુર્જર, ડીસીપી ઝોન 2 ભરત કુમાર રાઠોડ, એસીપી ડી વી રાણા સહિત અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા

રક્તદાન કેમ્પ દરમ્યાન સવારે 12 સુધીમાં અંદાજીત 100 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ રક્તનો ઉપયોગ સંકટ સમયે જરૂરિયાતમંદોને આપવામાં આવશે. આ ઉપરાંત જેસીપી નીરજ બડગુર્જર દ્વારા રક્તદાન કર્યા બાદ કર્મીઓ, અધિકારીઓ અને રક્તદાતાઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 33

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *