Latest

છાણસરા ગામ ખાતે પ્રથમ વાર કોળી ઠાકોર સામાજના ઇષ્ટદેવના પ્રાગટ્ય દિવસની અનોખી ઉજવણી કરાઈ…

એબીએનએસ, રાધનપુર:. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના છાણશરા ગામ ખાતે મકરસંક્રાતિના દિવસે પ્રથમ વખત કોલી ઠાકોર સમાજના ઇષ્ટદેવ માંધાતા મહારાજ ની પ્રાગટ્ય દિવસ ની ઉજવણી કરવામાં આવી

જેમાં સમગ્ર ગુજરાતના અલગ અલગ ખૂણે વસવાટ કરતા કોલી ઠાકોર સમાજના લોકો પોતાના વતન ખાતે પહોચીને વીર માંધાતા મહારાજ પ્રાગટ્ય દિવસ નિમિતે ગામમાં શોભાયાત્રાને શરૂ કરી હતી

જે ગામના વિવિધ વિસ્તારોથી પસાર થઈ પરત ગામના ચાચર ચોક ખાતે પહોંચી હતી. જેમા મોટી સંખ્યામાં બાઈક, ગાડી અને સાધુ-સંતોની શણગારેલી બગીઓ સાથે મોટી સંખ્યામાં જનસમુદાય ઉમટયો હતો.અખિલ કોલી ઠાકોર જાગૃતિ મંડળ સમાજના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

આગેવાનોએ વીર માંધાતાજીની આ પહેલી રેલીમાં ઉમટેલા જન સમુદાય અને શાંતિપૂર્વકના આયોજનને બિરદાવ્યું અને સમાજમાં કુપ્રથા, વ્યસનમુક્ત બનાવવા, સમાજની એકતા સાથે શિક્ષણમાં રુચિ દાખવી આગળ આવવા આહવાન કર્યું હતું.

જેમાં કોલી ઠાકોર સમાજના પ્રમુખ રતિલાલ અખીયાણી, ખેંગારભાઈ મઢુતરિયા , રૂડાભાઈ ભોરિયાણી, કનુભાઈ સૂરાણી, બાબુભાઈ ડુંગરાણી, કાનજીભાઈ ભેમદુકિયા, વાલાભાઈ ભોરિયાણી, દયાલભાઈ પગી, ધનાભાઈ,નવીનભાઈ દુધકીયા વીર માંધાતા યુવા સંગઠન રાધનપુર પ્રમુખ,કરશનભાઈ ખેતાભાઈ દુધકીયા સાંતલપુર કોલી ઠાકોર સમાજ પ્રમુખ,ઈશ્વરભાઈ મસાલિયા શિવાજી સેના પાટણ જિલ્લા પ્રમુખ,હમીરભાઇ વેગડા શિવાજી સેના પાટણ જિલ્લા ઉપપ્રમુખ,ભગવાનભાઈ માયાણી વીર માંધાતા યુવા સંગઠન રાધનપુર ઉપપ્રમુખ,વિરમભાઈ વેગડા,પાંચાભાઈ ડુગરાણી,અમરતભાઈ પુજાણી શિવાજી સેના પાટણ જિલ્લા મહામંત્રી,ગોવિંદભાઈ અખિયાણી શિવાજી સેના પાટણ જિલ્લા સંગઠનમંત્રી,ભરતભાઈ ભોરીયાણી શિવાજી સેના પાટણ જિલ્લા મંત્રી,ખેતાભાઈ અખિયાણી શિવાજી સેના સાંતલપુર તાલુકા ઉપપ્રમુખ,કલ્પેશભાઈ રાઠોડ (ગીર ફાઉન્ડેશન),રમેશભાઈ રાકાણી શિવાજી સેના રાધનપુર તાલુકા પ્રમુખ,વિજયભાઈ જાદવ શિવાજી સેના સમી તાલુકા પ્રમુખ,વિષ્ણુભાઈ અદગામા પાટણ જીલ્લા શિવાજી સેના મીડિયા સેલ પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *