Breaking NewsLatest

આર.ટી.ઓ. ભાવનગર દ્વારા અલંગ ખાતે જોખમી રીતે માલ પરિવહન કરતાં 11 વાહનો ડિટેઇન કરાયાં

ભાવનગર.29, પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી,ભાવનગર દ્વારા વાહન આર.ટી.ઓ.શ્રી ડી.એચ.યાદવના માર્ગદર્શન હેઠળ અલંગ ખાતે માલ સામાનનું જોખમી તેમજ ઓવરલોડેડ પરિવહન કરતાં વિવિધ પ્રકારના 11 વાહનો ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ અંગે વધુ માહિતી આપતાં સહાયક મોટર વાહન નિરીક્ષક શ્રી નિકુંજ ગૌસ્વામીએ જણાવ્યું છે કે અલંગ ખાતે ટ્રેકટર, ટ્રેઈલર, ટ્રક વગેરે જેવા વાહનો પોતાની વાહક ક્ષમતા કરતાં વધુ માત્રામાં માલ ભરી પરિવહન કરતાં હોવાનું તેમજ સ્ક્રેપનો માલ વાહનની બહાર રહે તેમ જોખમી રીતે ભરતાં હોવાનું કચેરીના ધ્યાને આવ્યું હતું.જે અંતર્ગત આર.ટી.ઓ. કચેરી દ્વારા વિવિધ ત્રણ ટીમોનું ગઠન કરી અલંગ ખાતે વિવિધ સ્થળોએ જોખમી તેમજ ઓવેરલોડેડ વાહનોની આકસ્મિક ચકાસણી હાથ ધરવામાં આવી હતી.જેમાં ગત તા.28 ના રોજ 11 જેટલાં વાહનો જોખમકારક તેમજ ઓવેરલોડેડ જણાઈ આવતાં આવા વાહનો ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ અંગે પ્રાદેશિક વાહન વ્યવહાર નિરીક્ષક શ્રી ડી.એચ.યાદવે જણાવ્યું હતું કે જોખમકારક રૂપે માલ પરિવહન કરતાં વાહનો બાબતે આર.ટી.ઓ. તંત્ર ખૂબ ગંભીર છે.વિવિધ વિસ્તારોમાં આગામી સમયમાં પણ આ પ્રકારે વાહન ચકાસણી શરૂ રહેશે તેમજ
મોટર વાહન ટેક્સ ભર્યા વગર ફરતા વાહનો, ઓવેરલોડેડ કે જોખમકારક રીતે માલ પરિવહન કરતા વાહનો વિરુદ્ધ માર્ગ સલામતીના ગુન્હા સબબ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વડોદરામાં નર્મદા નિગમે કેનાલો ઉપર ૧૩ કિમિ. લંબાઇમાં સોલાર પેનલથી ૨૯.૫૧ મિલિયન યુનિટ સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: કેનાલો ઉપર સોલાર પેનલ બેસાડી સૌર ઊર્જા ઉત્પન્ન કરવા માટે…

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તા. ૧૫ સપ્ટેમ્બર, રવિવારના રોજ રાજકોટ તથા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે

ડૉ. મનસુખ માંડવિયા ગુજરાતના રાજકોટમાં પશ્ચિમના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે…

1 of 662

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *