bhavnagar

સિહોર શહેરમાં સત્તાધીશોના પાપે ૪૭ કરોડની ગ્રાન્ટ છતાં લોકો ગટર સુવિધા થી વંચિત : જયરાજસિંહ મોરી

સિહોર માં ભાજપના શાસનમાં સ્વચ્છતા ની માત્ર મોટી વાતો થઈ છે અને સ્વચ્છતા અભિયાનના નામે લોકો ને છેતરવામાં આવ્યા છે. મીડિયામાં મોટી મોટી વાતો કરે છે

પરંતુ વાસ્તવિકતા સાવ વિપરીત છે અને સત્તાધીશો એનાથી અજાણ હોય એવું બને નહીં. સિહોર શહેરમાં વર્ષ ૨૦૧૫માં આશરે ૪૭ કરોડનો ગટરનો પ્રોજેકટ કાગળ પર પુર્ણ કરવામાં આવેલ.

ત્યારબાદ ૨૦૧૭માં ગટરની મરામત અને નિભાવણી નું સર્ટિફિકેટ પણ કંપની ને અપાઈ ગાયેલ અને તેની ચુકવણી પણ પુરી થઈ ગયેલ. તા. ૧૬/૦૨/૨૦૧૯ની સામાન્ય સભામાં ખુદ ભાજપના જ કોર્પોરેટર દીપશંગભાઈ રાઠોડે આ ગટરનું અનેક જગ્યાએ કામ બાકી હોવાનું અને કામમાં ભ્રષ્ટાચાર થયો હોય વિજિલન્સ તપાસની માંગણી કરેલ

જે ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવેલ. તેમ છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી અને આવા ભ્રષ્ટ સત્તાધીશો ના પાપે સિહોર અસ્વચ્છ રહી જવા પામ્યું છે.

તાજેતર માં રેલવે એ પણ સિહોર નગરપાલિકા ને ગટરનું પાણી ભરવા અંગે નોટિસ ફાળવેલ. પરંતુ કોઈના પેટનું પાણી હલતું નથી. કોંગ્રેસ આગેવાન જયરાજસિંહ મોરીએ જણાવ્યું છે કે જો સિહોર નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષનું શાશન આવશે તો આ તમામ કૌભાંડ ની ઊંડી તપાસ થશે અને દોષીતો સામે કાર્યવાહી કરવામાં આવશે અને સિહોર ના લોકો હાલ જે હાલાકી ભોગવી રહયા છે એ દૂર કરવામાં આવશે.

રિપોર્ટર ધર્મેન્દ્રસિંહ સોલંકી વલ્લભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સફર

આ સંસ્થાના કન્યાઓને મફત શિક્ષણ આપવાના પાયાના વિચાર સાથે ચાલતી એકમાત્ર શાળા શ્રી…

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહતસેવા

તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે પુર અસરગ્રસ્ત વિસ્તાર એવા ઉનાશહેર, ટીંબી…

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

ભાવનગર: સંજીવ રાજપૂત, એબીએનએસ: રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટે વધુ એક ગૌરવપૂર્ણ…

1 of 81

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *