bhavnagar

છેલ્લા 6, દિવસથી પાણીની લાઈન લીકેજ થઈ છે અને નગર પાલિકા રિપેર કરવામાં નિષ્ફળ

પાલીતાણા શહેરના મુખ્ય સર્કલ પર પાણીની લાઈન લીકેજ થતા રસ્તા પર પાણી ફરી વળ્યા લોકોને ચાલવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે શહેરના મુખ્ય ભૈરવનાથ સર્કલ પર છેલ્લા 6, દિવસથી પાણીની લાઈન લીકેજ થઈ છે અને નગર પાલિકા રિપેર કરવામાં નિષ્ફળ નીવડી હોય તેવું લાગી રહ્યું છે

જેના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા છે ત્યારે અહીંથી પસાર થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે એક તરફ પાલીતાણા શહેરના અમુક વિસ્તારોમાં સાત દિવસે પીવાનું પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે તો બીજી તરફ નગરપાલિકા દ્વારા પીવાના પાણીનો બેફામ વેડફાટ કરવામાં આવી રહ્યો

પાલીતાણા શહેરનું આ મુખ્ય સર્કલ ગણવામાં આવે છે કારણ કે અહીંથી કાયમી ધોરણે હજારોની સંખ્યામાં લોકો અવરજવર કરે છે કારણ કે આ રસ્તા પર તળાજા ગારીયાધાર તેમજ શહેરની મુખ્ય બજાર તેમજ શાકમાર્કેટ આવેલી છે જેના કારણે આ રસ્તા નો સતત લોકોને ઉપયોગ કરવો પડતો હોય છે

ત્યારે શહેરના ભૈરવનાથ સર્કલ પર અવારનવાર આ પાણીની લાઈન લીકેજ થઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે કારણ કે આ રસ્તા પર એવડા મોટા ખાડાઓ છે કે પાણી ભરાતા લોકોને અંદાજ પણ નથી આવતો કે અહીં ખાડો છે જેના કારણે લોકો ખાડામાં ભરાઈને અકસ્માત સર્જી રહ્યા છે અને બીજી તરફ આ ખાડાઓને લઈને આ રસ્તા પર અવારનવાર ટ્રાફિક જામની પણ સમસ્યાઓ સર્જાય છે

પાલીતાણા નગરપાલિકા ના કામો ગોકળ ગતિથી ચાલતા જોવા મળી રહ્યા છે શહેરના મુખ્ય સર્કલ પર અવારનવાર આ રસ્તા પર પાણીની લાઈન લીકેજ તેમજ મોટા મોટા ખાડાઓનો નગરપાલિકા દ્વારા આજ દિન સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી રહી નથી અને તેના જ કારણે પાલીતાણામાં જાણે રામ રાજ્ય અને પ્રજા સુખી જેવો ઘાટ ઘડાયો છે

કારણ કે આ રસ્તા પરથી નગરપાલિકા ચીફ ઓફિસર, પાલીતાણા ના તમામ પોલીસ કર્મચારી, પાલીતાણા મામલતદાર, તેમજ પાલીતાણા ડેપ્યુટી કલેકટર પણ આજ રસ્તાનો ઉપયોગ કરે છે પરંતુ લાગે છે કે પાલીતાણાની આ ખરાબ હાલત કોઈને દેખાતી જ નથી

રિપોર્ટર વિજય જાદવ પાલીતાણા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પાલીતાણા શહેરમાં હત્યા ના કેસ ને છુપાવવાની કોશિષ કરવામાં આવી , પોલીસે ચપળતા બતાવી 6 આરોપીને ઝડપી પાડ્યા

રાજુભાઈ રાઠોડ નામના વ્યક્તિ સોનગઢ મેલડી માતાના મંદિરે દર્શન કરવા આવ્યા હતા…

ઉમરાળા મામલતદાર કુમારી જાડેજા ના અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાના 79માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરાઈ

ઠોડા ગામે મામલતદાર કુમારી જે.ડી.જાડેજા એ ધ્વજવંદન કરી લોકોનું અભિવાદન ઝીલ્યું…

79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ ભાવનગર જિલ્લા કલેકટર મનીષ કુમાર બંસલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું

સ્વતંત્રતા પર્વને લઈને ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ…

1 of 62

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *