દેશીની ત્રીજા નંબર ની રથયાત્રામાં હોમગાર્ડઝ જવાનો ફરજ બજાવશે
ચોમાસામાં આગોતરૂ આયોજનને લઈ ભાવનગર જિલ્લા હોમગાર્ડઝ કચેરી ખાતે રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ શરૂ કરવામાં આવ્યો.
આગામી તારીખ 23/06 થી 27/06 5 દિવસ સુધીના ભગવાન શ્રી જગગનાથજી રથયાત્રામાં હોમગાર્ડ 1620 જવાનો અને મહિલાઓ સહિત અધિકારીઓ ફરજ બજાવશે. ભાવનગર જિલ્લામાં 10 તાલુકાના હોમગાર્ડ દળના 14 યુનિટો આવેલા છે. આ તમામ યુનિટોના અધિકારીઓ, ઓફિસર કમાન્ડિંગ, ક્લાર્ક, પટ્ટાવાળા, એન.સી.ઓ.ની ભાવનગર જિલ્લા હોમગાર્ડઝ કચેરી, પાનવાડી ખાતે ભાવનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ એસ.પી.સરવૈયાના અધ્યક્ષ સ્થાને રથયાત્રામાં અસરકારક ફરજો બજાવે તે બાબતે ખાસ મીટીંગ મળી હતી. આવનાર દિવસોમાં રથયાત્રામાં હોમગાર્ડઝ જવાનોએ ફરજ દરમિયાન શું કરવું, શું ન કરવું, તેમજ રથયાત્રા દરમિયાન ફરજ સ્થળ છોડવું નહીં, સ્થળ પર ભીડભાડ થવા દેવી નહીં, જેવી બાબતોની ફરજોની સમજ આપવામાં આવી હતી.
સાથે સાથે આવનાર દેશની 3 ત્રીજા નંબર ની ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા ભાવનગર શહેરમાં અંદાજે 17 કિલોમીટર નાં રૂટ પર નીકળવા ની હોય જેમાં પોલીસ સાથે રહી કાયદો અને વ્યવસ્થાને લઈ બંદોબસ્તમાં હોમગાર્ડઝ જવાન અને અધિકારીઓ જોડાશે. જેને લઈ જિલ્લા કમાન્ડન્ટ અને સ્ટાફ ઓફિસર દ્વારા બંદોબસ્ત અંગે માહિતી આપવામાં આવી હતી. જેમાં ભાવનગર જિલ્લાનાં 820, અમરેલી જિલ્લાના 250, બોટાદના 100, જૂનાગઢનાં 100, રાજકોટનાં 100, મોરબીના 50, તમેજ હથિયારધારી 50 ગાર્ડની ફાળવણી કરવામાં આવી છે જેઓ ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રામાં ફરજ બજાવશે.
તેમજ હાલ આવનાર નજીક નાં સમયે ચોમાસાની શરૂઆત થશે જેના ભાગ રૂપે આગોતરૂ આયોજનને લઈ ભાવનગર જિલ્લા હોમગાર્ડઝ કચેરી ખાતે જિલ્લા કમાન્ડન્ટ એસ.પી.સરવૈયા અને આપદા અધિકારી પ્રહલાદસિંહ ગોહિલ દ્વારા જિલ્લાનાં 14 હોમગાર્ડઝ યુનિટ ખાતે નાં 180 જેટલા તાલીમ લીધેલ આપદા મિત્રોને એલર્ટ રહેવા તમામ અધિકારીઓ અને આપદા સભ્યોને માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ વધુ માં જણાવ્યું હતું કે હાલ જિલ્લા કચેરી ખાતે રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ શરૂ કરવામાં આવેલ છે.
આ તકે ભાવનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ એસ.પી.સરવૈયા, સ્ટાફ ઓફિસર જન સંપર્ક (કંપની કમાન્ડર) નીતિન ગોહેલ, સ્ટાફ ઓફિસર સ્પોર્ટ્સ એલ.સી.કોરડીયા, સ્ટાફ ઓફિસર લીગલ શિશિર ત્રિવેદી, જિલ્લા કચેરી સિનિયર ક્લાર્ક વહીવટી ઝાહીદભાઈ, તેમજ ભાવનગર જિલ્લાના 14 હોમગાર્ડ યુનિટોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.