Breaking NewsLatest

ભારતીય તટરક્ષક દળ દ્વારા એકસાથે 7 સ્થળે વિશેષ સામુદાયિક સંવાદ કાર્યક્રમનું કરવામાં આવ્યું આયોજન

અમદાવાદ: સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે તટરક્ષક દળ જિલ્લા હેડક્વાર્ટર નંબર 1, પોરબંદર દ્વારા 12 માર્ચ 2021ના રોજ એક સાથે 7 સ્થળોએ એટલે કે, સુભાષનગર, મિયાની, નવી-બંદર, માંગરોળ, વેરાવળ, નવાબંદર અને જાફરાબાદ ખાતે એક વિશેષ સામુદાયિક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

વિશેષ સામુદાયિક સંવાદ કાર્યક્રમનું સંકલન માછીમારી સમુદાયોના વડાઓ, સ્થાનિક પોલીસ અને સ્થાનિક નેતાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સત્ર દરમિયાન, ભારતીય તટરક્ષક દળ (ICG)ના પ્રતિનિધિઓએ ભારતના સ્વતંત્રતાના સંગ્રામના વારસાનો પુનરુચ્ચાર કર્યો હતો. તટરક્ષક દળની ટીમોએ માછીમારી સમુદાયને લાઇફ રાફ્ટ, લાઇફ જેકેટ, લાઇફ બોય અને ડિસ્ટ્રેસ એલર્ટ ટ્રાન્સપોન્ડર્સ (DAT) વિશે માહિતી આપી હતી. હેલો રેસ્ક્યૂ સ્ટ્રેપના ઉપયોગ વિશે પણ અહીં સમજાવવામાં આવ્યું હતું.

ICGના પ્રતનિધિઓ દ્વારા અનેકતામાં એકતા વિષય પર ટૂંકા સંબોધન સાથે આ સત્રનું સમાપન કરવામાં આવ્યું હતું અને સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણીના પ્રારંભ તરીકે 12 માર્ચ 2021ના દિવસને અંકિત કરવામાં આવ્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *