bhavnagar

ઉમરાળા મામલતદાર કુમારી જાડેજા ના અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાના 79માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરાઈ

ઠોડા ગામે મામલતદાર કુમારી જે.ડી.જાડેજા એ ધ્વજવંદન કરી લોકોનું અભિવાદન ઝીલ્યું હતુ

આ પ્રસંગે ઉમરાળા મામલતદાર કુમારી જાડેજા એ ૭૯મા સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે,આજે ’માં’ ભારતીની આન, બાન અને શાનની રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોચ્છાવર કરનારાં સ્વાતંત્ર્ય સેનાનીઓ અને દેશ સેવા માટે ખપી જનાર મહાનુભાવોને યાદ કરવાનો અને તેમની શહાદતનું સ્મરણ કરવાનો દિવસ છે તેમણે તાલુકાના નાગરિકોને અભિનંદન પાઠવયા હતા

મામલતદાર કુમારી જાડેજાએ કહ્યું કે,ભારત આઝાદ થયાં પછી દેશે અનેક વિકાસની નવી ક્ષિતિજો કંડારી છે ભારતના આ વિકાસનું શિરમોર બિંદુ ગુજરાત રાજ્ય છે ગુજરાતે દેશના વિકાસની લીડ લીધી છે  કહ્યું કે આજનો દિવસ ગૌરવ અને શાનથી મસ્તક ઉંચુ રાખવાની તમન્નાઓને આંખમાં આંજીને સતત આગળ વધતાં રહેવાની પ્રેરણા આપનારો દિવસ છે

આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ તથા આપણાં દેશના બંધારણના ઘડવૈયા ડૉ.બાબા સાહેબ આંબેડકર,શહીદ ભગતસિંહ અને આપણાં જ ભાવેણાંના રતન એવાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું સ્મરણ અને ભાવવંદના કરવાનો આ દિવસ છે વધુમાં કહ્યું કે,“હર ઘર તિરંગા,હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ,સ્વચ્છતા કે સંગ” થીમ હેઠળ તાલુકા વાસીઓએ શેરીઓ મહોલ્લા દુકાનો શોપિંગ મોલ વગેરે સ્થળોએ તિરંગા લગાવીને એમની સહભાગિતા નોંધાવી છે

હર‌‌ ઘર તિરંગા અભિયાન અંતર્ગત‌ લાખો વિદ્યાર્થીએ દેશના સૈનિકોને પત્રો લખી શુભેચ્છા પાઠવી છે આ વેળાએ શાળા ના બાળકો દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમે સૌ કોઈ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા તાલુકાના અધિકારીઓ પદાધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા

રીપોર્ટ નિલેશ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ ભાવનગર જિલ્લા કલેકટર મનીષ કુમાર બંસલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું

સ્વતંત્રતા પર્વને લઈને ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ…

રૂ.૪,૩૫,૧૦૦/-ના શંકાસ્પદ મુદ્દામાલ કબ્જે કરી બે ઇસમોને પકડી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

ભાવનગર શહેરમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી સંદર્ભે કમિશનરશ્રી એન.કે.મીણાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.

રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર…

અંકુર વિદ્યાલય પાલિતાણાની બહેનો દ્વારા વડાપ્રધાનને રક્ષાસૂત્ર મોકલવાની અનોખી સંસ્કૃતિક પહેલ

જ્યારે સમગ્ર દેશમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવવાની તૈયારી ચાલી રહી છે, ત્યારે…

1 of 62

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *