bhavnagar

તળાજા તાલુકાના નવી કામરોલ ગામ બે દિવસથી સંપર્ક વિહોણું બન્યું

ઉપરવાસમાં પડેલા ધોધમાર કમોસમી વરસાદને લઈને તળાજા તાલુકાના નવી કામરોલ ગામ બે દિવસથી સંપર્ક વિહોણું

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નવી કામરોલ ગામથી પસાર થતી નદીમાં બે દિવસથી સતત પાણી વહી રહ્યું છે જોકે આવું અહીં વારંવાર બને છે અને ગામ લોકોની છેલ્લા ઘણા સમયથી બ્રિજ બનાવવાની માંગણી છેતેમ છતાં પણ તંત્રને કે જવાબદાર નેતાઓની આંખ ઉઘડતી નથી અને ચૂંટણી ટાણે વચનો આપીને વોટ લઈ જાય છે

જેના કારણે ગામ લોકો મોટી મુસીબતમાં મુકાય છે કારણ કે નવી કામરોલ ગામની બંને બાજુ નદીઓ હોવાથી જ્યારે પણ પૂર આવે ત્યારે સીમમાં રહેલા લોકો ગામમાં આવી શકતા નથી અને પ્રાથમિક શાળા પણ સામે કાંઠે હોવાથી બાળકો પણ મુશ્કેલી માં મુકાય છે અત્યારે હાલમાં બે દિવસ થી નદીમાં ઘોડાપૂર હોવાથી ગામલોકો મૂંઝવણ માં મુકાયાં છે

અને જો કોઈ ઇમરજન્સી હોસ્પિટલ નું કામ આવે તો સારવાર ના અભાવે મૃત્યુ પણ થઈ શકે જો આવા ગંભીર પ્રશ્ને સ્થાનિક નેતાઓ અંગત રસ દાખવે તો પ્રશ્ન હલ થઈ શકે તેમ છે આગામી સમયમાં આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે અને ચૂંટણી ટાણે ગામલોકો પરચો બતાવી શકે છે

રિપોર્ટર. વિજય જાદવ પાલીતાણા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અધેવાડા ખાતે સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન દ્વારા 100 કરોડ મહામૃત્યુંજય જપમાળા અભિયાન સંકલ્પ શિબિર સંપન્ન

સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન (ઈન્ડિયા) ૧૦૦ કરોડ મહામૃત્યુંજય જપમાલા અભિયાન સંકલ્પ…

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

-ભાવનગર મેડિકલ કોલેજમાં રેગીંગની ફરિયાદની તાત્કાલિક તપાસના આદેશ, દોષિતો સામે થશે…

વડોદના ખેડૂત સંજયસિંહ ગોહિલની પ્રેરણાદાયી ગાથા પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોનું એડવાન્સ બુકિંગ થાય છે

ઉમરાળાના વડોદ ગામના પ્રગતિશીલ ખેડૂત સંજયસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ ૨૦૧૯થી…

સોમનાથ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ પ્રોજેક્ટમાં હોટેલ અને આતિથ્ય વ્યવસાય માટેના વ્યાવસાયિક અવસરો અંગે ચર્ચા

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ પુનર્વિકાસ પામતા સોમનાથ રેલવે સ્ટેશન ખાતે ઉપલબ્ધ…

1 of 79

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *