પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા અધિકારીશ્રીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણ શોધાયેલ ચોરી/લુંટ તથા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સખત સુચના આપેલ.
ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફનાં માણસોને અગાઉ બાતમી મળેલ કે, ભાવનગર,વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં સને-૨૦૦૯માં દાખલ થયેલ આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમઃ-૩,૭ મુજબના ગુન્હાના કામે નાસતાં-ફરતાં આરોપી મનિષ જૈન પારસનાથ ઓર્ગેનીક પ્રા.લી., હસનગઢ, તા.સાંપલા જી.રોહતક રાજય-હરિયાણાનાઓ હાલ દિલ્હી ખાતે રહે છે. જેથી ભાવનગર,એલ.સી.બી. ટીમે દિલ્હી ખાતે જઇ નાસતાં-ફરતાં આરોપી અંગે તપાસ કરતાં આરોપી તેની દિલ્લી, પ્રિતમપુરા ખાતે આવેલ ઓફિસે હાજર હોવાનું જણાય આવેલ.જે જગ્યાએ તપાસ કરતાં નીચે મુજબના નાસતાં-ફરતાં આરોપી હાજર મળી આવતાં તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ભાવનગર, વલ્લભીપુર પોલીસ સટેશન સોંપી આપવામાં આવેલ.
નાસતાં-ફરતાં આરોપીઃ-
મનીષ જયપ્રકાશ જૈન ઉ.વ.૪૯ રહે.૮૨, ત્રીજો માળ, બ્લોક-એચ/૩, માઉન્ટ આબુ વિદ્યાલય પાસે, ડિવિઝન-૧૮, રોહિણી, રોહિણી સેક્ટર-૧૫, ઉત્તર પશ્ચિમ, દિલ્હી-૧૧૦૦૮૯
ગુન્હાની વિગત:-
ભાવનગર, વલ્લભીપુર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૦૧૧/૨૦૦૯ આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમઃ-૩,૭ મુજબ
કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા ના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ. શ્રી પી.ડી.ઝાલા તથા એલ.સી.બી. સ્ટાફના જયદાનભાઇ લાંગાવદરા, બીજલભાઇ કરમટીયા, ફાલ્ગુનસિંહ ગોહિલ, હરિચંદ્દસિંહ દિલુભા, શૈલેષભાઇ ચાવડા, દેવેન્દ્દસિંહ વાળા, મયુરસિંહ ગોહિલ, પ્રજ્ઞેશભાઇ પંડયા
















