bhavnagar

ભાવેણાનાં હરદેવ વાળા, ચેતન ચૌહાણ અને સુરતના ઓમ વ્યાસે દેશમાં ગુજરાતનું નામ રોશન કર્યું

ભારત સરકારનનાં યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા આયોજિત વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ ૨૦૨૬નું આયોજન નવી દિલ્હીનાં ભારત મંડપમ ખાતે કરવામાં આવ્યું.જેમાં અલગ અલગ રાજ્યોમાંથી આવેલા યુવાઓને પોતાની કલા અને નવીન વિચારોને રજૂ કરવા માટે વિશાળ પ્લેટ ફોર્મ આપવામાં આવ્યું હતું.

આ રાષ્ટ્રીય સ્પર્ધામાં ચેતન ચૌહાણ દ્વારા સંચાલિત ઓમ કલ્ચરલ ગ્રુપ(સુરત)નાં મિશ્રરાસની કૃતિ ભારત મંડપમ ખાતે યોજાયેલ સ્પર્ધામાં રજૂ કરવામાં આવી હતી.અલગ અલગ રાજ્યોની ૩૬ જેટલી લોકનૃત્યની કૃતિમાં ગુજરાતની મિશ્રરાસ કૃતિએ

સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.

આ કૃતિમા ભાવેણાનાં લોક ગાયક હરદેવભાઈ વાળાએ પોતાનો અવાજ આપ્યો છે.તેમજ મૂળ ભાવનગરનાં ઓમ વ્યાસ દ્વારા ઢોલક પર સંગત આપી હતી.સમગ્ર ગ્રુપની સખત મહેનત બાદ ગુજરાતની આ કૃતિને નેશનલ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મળ્યો એ ગુજરાત માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સિહોરના પીપળીયા ગામે ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને પીડિતને હૂંફ આપવા પહોંચ્યો પાટીદાર સેવા સંઘ

સિહોર તાલુકાના પીપળીયા ગામે પાટીદાર સમાજના એક ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને…

અધેવાડા ખાતે સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન દ્વારા 100 કરોડ મહામૃત્યુંજય જપમાળા અભિયાન સંકલ્પ શિબિર સંપન્ન

સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન (ઈન્ડિયા) ૧૦૦ કરોડ મહામૃત્યુંજય જપમાલા અભિયાન સંકલ્પ…

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

-ભાવનગર મેડિકલ કોલેજમાં રેગીંગની ફરિયાદની તાત્કાલિક તપાસના આદેશ, દોષિતો સામે થશે…

વડોદના ખેડૂત સંજયસિંહ ગોહિલની પ્રેરણાદાયી ગાથા પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોનું એડવાન્સ બુકિંગ થાય છે

ઉમરાળાના વડોદ ગામના પ્રગતિશીલ ખેડૂત સંજયસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ ૨૦૧૯થી…

1 of 80

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *