bhavnagar

ભાવનગર મંડળમાં અવસાન પામેલા રેલવે કર્મચારીઓના પરિવારજનોને આર્થિક સહાય

ભાવનગર મંડળમાં રેલવે કર્મચારીઓ તથા તેમના પરિવારજનોને અત્યંત કઠિન પરિસ્થિતિઓમાં, ખાસ કરીને રેલ સેવા દરમિયાન આકસ્મિક અવસાનની સ્થિતિમાં, તાત્કાલિક આર્થિક સહાય ઉપલબ્ધ કરાવવાના હેતુથી મંડળ પ્રશાસન દ્વારા ડિવિઝનલ સ્ટાફ રિલીફ એન્ડ વેલફેર ફંડ (DSRWF)ની રચના કરવામાં આવી છે.

ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપતાં જણાવ્યું કે તારીખ 20 જાન્યુઆરી 2026ના રોજ રેલ સેવા દરમિયાન અવસાન પામેલા 08 રેલવે કર્મચારીઓના પરિવારજનોને દરેક પરિવાર માટે ₹50,000/- (પચાસ હજાર રૂપિયા)ની સહાય રકમના ચેક આપવામાં આવ્યા હતા. આ ચેક DSRWFના સંરક્ષક તથા મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માના કરકમળોથી વિતરણ કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત, પરિવારજનોને અનુકંપા નિયુક્તિ માટે જરૂરી અરજી અને પ્રક્રિયા અંગે તેમજ HRMS પોર્ટલ મારફતે ઑનલાઇન પ્રક્રિયા કરવા બાબતે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

આ અવસરે વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી શ્રી હુબલાલ જગનનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું અને તેઓ સ્વયં પણ હાજર રહ્યા હતા. મંડળ પ્રશાસન દ્વારા અવસાન પામેલા કર્મચારીઓના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરવામાં આવી અને તેમને આ ખાતરી આપવામાં આવી કે રેલવે પોતાના કર્મચારીઓ તથા તેમના પરિવારજનોના કલ્યાણ માટે હંમેશા પ્રતિબદ્ધ રહેશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સફર

આ સંસ્થાના કન્યાઓને મફત શિક્ષણ આપવાના પાયાના વિચાર સાથે ચાલતી એકમાત્ર શાળા શ્રી…

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહતસેવા

તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે પુર અસરગ્રસ્ત વિસ્તાર એવા ઉનાશહેર, ટીંબી…

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

ભાવનગર: સંજીવ રાજપૂત, એબીએનએસ: રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટે વધુ એક ગૌરવપૂર્ણ…

1 of 81

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *