bhavnagar

ભાવનગર મંડળમાં અવસાન પામેલા રેલવે કર્મચારીઓના પરિવારજનોને આર્થિક સહાય

ભાવનગર મંડળમાં રેલવે કર્મચારીઓ તથા તેમના પરિવારજનોને અત્યંત કઠિન પરિસ્થિતિઓમાં, ખાસ કરીને રેલ સેવા દરમિયાન આકસ્મિક અવસાનની સ્થિતિમાં, તાત્કાલિક આર્થિક સહાય ઉપલબ્ધ કરાવવાના હેતુથી મંડળ પ્રશાસન દ્વારા ડિવિઝનલ સ્ટાફ રિલીફ એન્ડ વેલફેર ફંડ (DSRWF)ની રચના કરવામાં આવી છે.

ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપતાં જણાવ્યું કે તારીખ 20 જાન્યુઆરી 2026ના રોજ રેલ સેવા દરમિયાન અવસાન પામેલા 08 રેલવે કર્મચારીઓના પરિવારજનોને દરેક પરિવાર માટે ₹50,000/- (પચાસ હજાર રૂપિયા)ની સહાય રકમના ચેક આપવામાં આવ્યા હતા. આ ચેક DSRWFના સંરક્ષક તથા મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માના કરકમળોથી વિતરણ કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત, પરિવારજનોને અનુકંપા નિયુક્તિ માટે જરૂરી અરજી અને પ્રક્રિયા અંગે તેમજ HRMS પોર્ટલ મારફતે ઑનલાઇન પ્રક્રિયા કરવા બાબતે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

આ અવસરે વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી શ્રી હુબલાલ જગનનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું અને તેઓ સ્વયં પણ હાજર રહ્યા હતા. મંડળ પ્રશાસન દ્વારા અવસાન પામેલા કર્મચારીઓના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરવામાં આવી અને તેમને આ ખાતરી આપવામાં આવી કે રેલવે પોતાના કર્મચારીઓ તથા તેમના પરિવારજનોના કલ્યાણ માટે હંમેશા પ્રતિબદ્ધ રહેશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર, મહુવા નો 12 મો “પાટોત્સવ વિધિ- સભા તથા બાલ-બાલિકા વિદ્ધાન અભિવાદન સમારોહ”

સમગ્ર વિશ્વમાં સનાતન હિંદુ ધર્મને ઉજાગર કરતા ભવ્ય મંદિરોનું નિર્માણ તથા શાસ્ત્ર…

પૂ .મોરારી બાપુના સાનિધ્યમાં કાગધામે (મજાદર)પદ્મશ્રી કવિ કાગબાપુની પુણ્યતિથિ નિમિતે કાગ એવોર્ડ એનાયત થશે

રજત મહોત્સવ અને પુણ્યતિથિ સુવર્ણ જયંતિ ઉજવણીનો પ્રારંભ આગામી તા.21 ફેબ્રુઆરી ના…

“મારું ટિકિટ, મારી શાન – વિકસિત ભારત માટે મારું યોગદાન” યાત્રી જાગૃતિ અભિયાનનું DRM દ્વારા શુભારંભ

રેલ મુસાફરોમાં ટિકિટ ખરીદી અંગે જાગૃતિ વધારવાના હેતુથી પશ્ચિમ રેલવેના તમામ…

ભાવનગર રેલવે મંડળ પર શહીદ દિવસના અવસરે બે મિનિટનું મૌન રાખીને વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદોની સ્મૃતિમાં…

1 of 73

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *