પશુપાલન ક્ષેત્રે ગુજરાતનું ગૌરવ – ‘ધૂન ધ પેટિંગ ફાર્મ
‘ ખાતે જન્મી ભારતની પ્રથમ સંભવિત ‘કપિલા-પુંગનુર’ માદા વાછરડી ‘હરિણી’ દેશી ગૌવંશના જતન અને પ્રોત્સાહન માટે કાર્યરત ધૂન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ‘ધૂન ધ પેટિંગ ફાર્મ’ (Dhunn The Petting Farm) ખાતે પશુપાલન જગતની એક ઐતિહાસિક અને અત્યંત દુર્લભ ઘટના બની છે. ડૉ. (એચ.એસ.) અર્ચના અને શૈલેષ પટેલના અંગત માર્ગદર્શન હેઠળ, ૨ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ સવારે ૯:૩૭ કલાકે શુદ્ધ કૃષ્ણ કપિલા ગાય ‘ગૌરી’ અને શુદ્ધ પુંગનુર મિનિએચર ખૂંટ ‘નંદી’ ના મિલનથી એક આકર્ષક માદા વાછરડી ‘હરિણી’ નો જન્મ થયો છે.
જન્મની વિશેષતાઓ અને ડિજિટલ ઓળખ:
ભારત સરકારના ભારત પશુધન (Bharat Pashudhan) પોર્ટલ પર જન્મના બીજા જ દિવસે નોંધાયેલી હરિણીનો જન્મ સંપૂર્ણપણે કુદરતી રીતે અને માત્ર ૫ થી ૭ મિનિટના ટૂંકા ગાળામાં કોઈ પણ જટિલતા વગર થયો છે.
શારીરિક માપદંડ: ઊંચાઈ ૨૦ ઇંચ, ઘેરાવો ૨૨ ઇંચ અને જન્મ સમયનું વજન ૧૨.૩૬૦ કિગ્રા છે.• માતા-પિતા: બંને માતા-પિતા ૩૨ ઇંચની આદર્શ ઊંચાઈ ધરાવે છે, જે હરિણીને ‘માઇક્રો-બ્રીડિંગ’ માટે એક ઉત્તમ નમૂનો બનાવે છે.
ધૂન ધ પેટિંગ ફાર્મ: એક વિશિષ્ટ શૈક્ષણિક પ્રવૃત્તિ ધૂન ધ પેટિંગ ફાર્મ એ ધૂન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતી એક બિન-વ્યાવસાયિક પહેલ છે. અહીં પક્ષીઓ અને પશુઓની ૪૮ થી વધુ વિદેશી દુર્લભ પ્રજાતિઓનો ઉછેર થાય છે. આ ફાર્મનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકો અને સમાજમાં પ્રાણીઓ પ્રત્યે સંવેદના જગાડવી અને દેશી નસ્લોના મહત્વ વિશે જ્ઞાન આપવાનો છે.“હરિણી’ – ભવિષ્યનું અમૃત અને ઔષધીય પાવરહાઉસ: આ સંકરણ (Crossbreed) થી જન્મેલી હરિણી ભવિષ્યમાં અનેક રીતે ગુણકારી સાબિત થશે:
1. સુપર A2 ઔષધીય દૂધ: કપિલા ગાયના દૂધમાં રહેલા ઔષધીય તત્વો અને સુવર્ણ ક્ષાર સાથે પુંગનુર નસ્લના દૂધમાં રહેલા ૮% થી વધુ ફેટ અને હાઈ મિનરલ્સનો અનોખો સંગમ હરિણીના દૂધમાં જોવા મળશે. જે કેન્સર, ડાયાબિટીસ અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આશીર્વાદરૂપ છે.
2. માઇક્રો-જનરેશન સંવર્ધન: હરિણી દ્વારા આગામી પેઢીમાં અતિ નાના કદની ગાયોનું સંવર્ધન કરી શકાશે, જે શહેરી અને મર્યાદિત જગ્યા ધરાવતા વિસ્તારો માટે આર્થિક અને વ્યવહારુ પશુપાલનનો નવો માર્ગ ખોલશે.
3. પંચગવ્યની ઉપયોગિતા: તેના ગૌમૂત્ર અને છાણમાં બંને નસ્લોના જૈવિક ગુણો હોવાથી તે શ્રેષ્ઠ આયુર્વેદિક દવાઓ બનાવવા માટે ઉપયોગી થશે.
સફળતાના શિલ્પીઓ (નિષ્ણાતો અને સ્ટાફ):
આ સફળ પ્રસૂતિ અને ઉછેર પાછળ નીચે મુજબના નિષ્ણાતો અને સમર્પિત સ્ટાફનો ફાળો છે:
• પશુચિકિત્સકોની ટીમ:
૧. ડૉ. દશરથભાઈ પટેલ (વેટરનરી ઓફિસર અને સર્જન, પેટલાદ તાલુકા)
૨. ડૉ. નિકિતાબેન (વેટરનરી ઓફિસર, વેટરનરી હોસ્પિટલ, બામરોલી ગામ)
૩. ડૉ. ભવનસિંહ ઠાકુર (લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટર, ફર્સ્ટ એઈડ સેન્ટર, ધર્મજ – દૈનિક મુલાકાતી)
૪. ડૉ. નિરાલી મારવાણીયા (વેટરનરી ઓફિસર, ભુરાકુઈ)
• કેરટેકર: મિ. નટુભાઈ ઠાકોર
• ફાર્મ સ્ટાફ: સુનિલ, વિપુલ, અમર અને ફાર્મની સમગ્ર ટીમ.
વધુ માહિતી માટે સંપર્ક:
ડૉ. (એચ.એસ.) અર્ચના શૈલેષ પટેલ
ધૂન ધ પેટિંગ ફાર્મ, ધર્મજ, ગુજરાત.
ફોન નં : ૯૪૦૮૪૭૮૮૮૮
રિપોટર માનસી રાઠવા આણંદ
















