પશ્ચિમ રેલવેના ભાવનગર મંડલમાં 11 ફેબ્રુઆરી, 2026ના રોજ શ્રી ઋત્વિક શર્માએ અપર મંડલ રેલ પ્રબંધક તરીકે કાર્યભાર સંભાળ્યો.
શ્રી ઋત્વિક શર્મા ભારતીય રેલ યાઁત્રિક ઈજનેરી સેવા (IRSME)ના 2008 બેચના વરિષ્ઠ અધિકારી છે. તેમણે સ્પેશિયલ ક્લાસ રેલવે એપ્રેન્ટિસ (S.C.R.A.), જમાલપુરમાંથી યાંત્રિક ઈજનેરીમાં સ્નાતક ડિગ્રી પ્રાપ્ત કરી છે.
કાર્યભાર સંભાળવા પૂર્વે, શ્રી શર્મા અજમેર કારખાનામાં ઉપ મુખ્ય યાંત્રિક ઈજનેર (કેરેજ) તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન અજમેર કારખાનાને બેસ્ટ વર્કશોપ શીલ્ડથી સન્માનિત કરવામાં આવ્યું હતું.
તે પહેલાં, દક્ષિણ પૂર્વ રેલવેના ચક્રધરપુર મંડલમાં વરિષ્ઠ મંડલ યાંત્રિક ઈજનેર તરીકે કાર્ય કરતી વખતે તેમણે ફ્રેટ લોડિંગ વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું, જેના પરિણામે ચક્રધરપુર મંડલને મેકેનિકલ ઈજનેરી શીલ્ડ પ્રાપ્ત થઈ હતી.
આ ઉપરાંત, શ્રી ઋત્વિક શર્મા દક્ષિણ પૂર્વ રેલવેમાં DGM (G) સહિત વિવિધ મંડલોમાં યાંત્રિક ઈજનેરી વિભાગના અનેક મહત્વપૂર્ણ પદો પર પોતાની સેવાઓ આપી ચૂક્યા છે.
















