bhavnagar

પવિત્ર તીર્થ નગરી પાલીતાણામાં અખાત્રીજને લઈને વર્ષીતપના પારણા માટે તપસ્યાર્થીઓ પાલીતાણા ખાતે ઉમટી પડ્યા

જેમાં આજે શત્રુંજય મહા તીર્થ પાલીતાણામાં શ્રી વાવ પથક મિત્ર મંડળ દ્વારા ધર્મશાળામાં વરસી તપના 16 તપસ્વી નિમિત્તે ભવ્ય કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું

સવારે તળેટી સ્પર્શ વંદના કરવા માટે સૌ સાથે મળીને શેત્રુંજય ગિરિરાજ ના દર્શન કર્યા ત્યારબાદ વાવ પથક ધર્મશાળામાં બપોરે ત્રણ વાગ્યાથી નાના મોટા તેમજ બાલક બાલિકાઓ દ્વારા ભવ્ય નાટક તેમજ સ્પીચ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો

શ્રાવક અજીત મહેતા એ જણાવ્યું હતું કે વર્ષી તપ કરતા દરેક તપસ્યાાર્થીઓની ઈચ્છા હોય છે કે તેઓનું પારણું પાલીતાણા ના પાવન શેત્રુંજય ગિરિરાજ ની ગોદમાં અને દાદા આદેશ્વર ભગવાનની સમક્ષ થાય આ તપસ્યાાર્થીઓની ઈચ્છા અને ખુશી ની ધ્યાન મા રાખી ને વાવ પથક માં છેલ્લા 29 વર્ષથી સામૂહિક વર્ષીતપ પારણા નું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં આજે રાત્રે તપસ્વી ના બહુમાન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આવતીકાલે ગુરુ ભગવાન તો અને આચાર્યોની નિશ્રામાં તપસ્યારથીઓને પારણા કરાવવામાં આવશે

રિપોર્ટર વિજય જાદવ પાલીતાણા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન

સદગુરુ બજરંગદાસબાપાનો ગુરૂઆશ્રમ ભાવ - શ્રદ્ધા સાથે ભક્તોના માનવ મહેરામણથી છલકાયો…

1 of 82

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *