જામનગર: જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે જી એમ પટેલ કન્યા છાત્રાલય ખાતે શનિવારે કોવિડ સેન્ટર ખુલ્લું મુકવામાં આવ્યું હતું. હાલ કોરોના ની મહામારીએ ભરડો લીધો છે ત્યારે સરકારી કે ખાનગી હોસ્પિટલો ફૂલ થવા પામી છે ત્યારે કન્યા છાત્રાલાયમાં 200 બેડ ની કોવિડ દર્દીઓ માટે વ્યવસ્થા ઉમા ટ્રસ્ટ ના સેવાભાવી લોકો દ્વારા સ્વ ખર્ચે ઉભી કરવામાં આવી છે જેમાં પ્રથમ દિવસે 30 બેડ ફૂલ થઈ જવા પામ્યા હતા. ઉમા કોવિડ કેર સેન્ટરમાં 200 બેડ સુધી વધારવામાં આવનાર છે જેના માટે તમામ કર્યો બાબતે સમાજના અગ્રણીઓ, સ્વયંસેવકો અને વિવિધ સમિતિઓની રચના કરી અલગ અલગ વ્યવસ્થાની જવાબદારીઓ સોંપવામાં આવી છે. આવા કોરોના ના કપરા કાળમાં સીદસર ઉમિયા માતાજી મંદિર અને કડવા પટેલ કેળવણી મંડળ અને કન્યા છાત્રાલયના સહયોગ દ્વારા આ કોવિડ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે જેમાં હાલ 30 બેડની વ્યવસ્થા રાખવામાં આવી છે અને આગામી દિવસોમાં વધુ બેડ, ઓક્સિજન ની પણ વ્યવસ્થા કરવામાં આવનાર છે તેમજ પૂરતા ડોકટર અને સ્ટાફના આયોજન સાથે સાથે આવનાર દર્દીઓના પરિવારજનો માટે રહેવાની જમવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવનાર છે તેવું ટ્રસ્ટના ચેરમેન જયરામ બાપા દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ આખા કાર્ય પર સંકલન કરતા કર્તાહર્તા ટ્રસ્ટી રમેશભાઈ જાકસણીયા તેંમજ ડૉ જલ્પા ઓઝા દ્વારા દર્દીઓ પ્રત્યે તેમના સ્વાસ્થ્ય અંગે ચોક્કસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં આ કન્યા છાત્રાલાયમાં વધુ બેડ ની સગવડ સાથે ઠેર ઠેર ભટકતા દર્દીઓ વધુ સારી રીતે સારવાર લઈ પોતાના ઘેર હસતા મોંએ પાછા ફરી શકશે તેવી આશા સેવાઇ રહી છે.
સેવા એજ પ્રભુતા: જામનગરના ધ્રોલ ખાતે કન્યા છાત્રાલાયમાં ઉમા કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું. પ્રથમ દિવસે 30 બેડ ભરાયા.
Related Posts
પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ
આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…
અમદાવાદ ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સુજિત કુમારના…
મિરઝાપર ભુજ ખાતે ૧૪મા હાઈટેક કૃષિ-ડેરી પ્રદર્શનનો પ્રારંભ કરાવતા કચ્છના પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા
ભુજ, શનિવાર: આજરોજ કચ્છના જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ ભુજ…
सियावा के गणगौर मेले में आदिवासियों ने उत्साह के साथ लियाभाग
आबूरोड शहर के पास सियावा गांव में शुक्रवार को आदिवासियों का गंणगौर मेला धूमधाम…
ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં
કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…
18 એપ્રિલ, વર્લ્ડ હેરિટેજ ડે: સાંસ્કૃતિક વારસાના સંરક્ષણમાં સીમાચિહ્નરૂપ બન્યું વડનગરનું પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય
ગાંધીનગર, સંજીવ રાજપૂત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત ‘વિકાસ ભી,…
સમી- રાધનપુર હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાયો, 6નાં મોત.
રાધનપુર, એ.આર. એબીએનએસ: સમી-રાધનપુર હાઇવે પર ગોઝારા અકસ્માતનો બનાવ સામે આવ્યો…
જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય ‘જનતાની સેવા માટે, જનતાના દરવાજે ઊપસ્થિત રહી લોકોના પ્રશ્નો સાંભળ્યા
જામનગર, સંજીવ રાજપૂત: જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ…
ભાવનગર એરપોર્ટ પર આતંકવાદી હુમલો અંગે મોકડ્રીલ યોજાઈ
ભાવનગર એરપોર્ટ ખાતે સાંજે છ વાગ્યે એન્ટી હાઈજેકીંગ મોકડ્રીલ યોજાઈ હતી. ત્રણ…
ભાવનગરમાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને બાળ વિવાહ મુક્ત ભારત અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.
આજે ભાવનગર ખાતે ડૉ.બાબા સાહેબ આંબેડકર હોલમાં ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ…