જામનગર: જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે જી એમ પટેલ કન્યા છાત્રાલય ખાતે શનિવારે કોવિડ સેન્ટર ખુલ્લું મુકવામાં આવ્યું હતું. હાલ કોરોના ની મહામારીએ ભરડો લીધો છે ત્યારે સરકારી કે ખાનગી હોસ્પિટલો ફૂલ થવા પામી છે ત્યારે કન્યા છાત્રાલાયમાં 200 બેડ ની કોવિડ દર્દીઓ માટે વ્યવસ્થા ઉમા ટ્રસ્ટ ના સેવાભાવી લોકો દ્વારા સ્વ ખર્ચે ઉભી કરવામાં આવી છે જેમાં પ્રથમ દિવસે 30 બેડ ફૂલ થઈ જવા પામ્યા હતા. ઉમા કોવિડ કેર સેન્ટરમાં 200 બેડ સુધી વધારવામાં આવનાર છે જેના માટે તમામ કર્યો બાબતે સમાજના અગ્રણીઓ, સ્વયંસેવકો અને વિવિધ સમિતિઓની રચના કરી અલગ અલગ વ્યવસ્થાની જવાબદારીઓ સોંપવામાં આવી છે. આવા કોરોના ના કપરા કાળમાં સીદસર ઉમિયા માતાજી મંદિર અને કડવા પટેલ કેળવણી મંડળ અને કન્યા છાત્રાલયના સહયોગ દ્વારા આ કોવિડ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે જેમાં હાલ 30 બેડની વ્યવસ્થા રાખવામાં આવી છે અને આગામી દિવસોમાં વધુ બેડ, ઓક્સિજન ની પણ વ્યવસ્થા કરવામાં આવનાર છે તેમજ પૂરતા ડોકટર અને સ્ટાફના આયોજન સાથે સાથે આવનાર દર્દીઓના પરિવારજનો માટે રહેવાની જમવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવનાર છે તેવું ટ્રસ્ટના ચેરમેન જયરામ બાપા દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ આખા કાર્ય પર સંકલન કરતા કર્તાહર્તા ટ્રસ્ટી રમેશભાઈ જાકસણીયા તેંમજ ડૉ જલ્પા ઓઝા દ્વારા દર્દીઓ પ્રત્યે તેમના સ્વાસ્થ્ય અંગે ચોક્કસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં આ કન્યા છાત્રાલાયમાં વધુ બેડ ની સગવડ સાથે ઠેર ઠેર ભટકતા દર્દીઓ વધુ સારી રીતે સારવાર લઈ પોતાના ઘેર હસતા મોંએ પાછા ફરી શકશે તેવી આશા સેવાઇ રહી છે.
સેવા એજ પ્રભુતા: જામનગરના ધ્રોલ ખાતે કન્યા છાત્રાલાયમાં ઉમા કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું. પ્રથમ દિવસે 30 બેડ ભરાયા.
Related Posts
દાદા બાપુ ધામ પચ્છમ ભાલ તરફથી સાધુ સમાજની દીકરીઓને ચણિયાચોળી અર્પણ નો કાર્યક્રમ યોજાયો
સાધુ સમાજના સમૂહ લગ્ન આગામી તારીખ 28 12 2025 ના રોજ વીર રતનસિંહ દાદા ધામ…
मंदसौर जिले के बालगुड़ा गांव में साबरकांठा जिला सहकारी दुग्ध उत्पादन सहकारी संघ लिमिटेड के द्वारा संचालित मंदसौर दुग्ध शीतकेंद्र द्वारा अमूल के प्रणेता डॉक्टर वर्गीश कुरियन के जन्म दिवस पर मिल्क डे का भव्य कार्यक्रम मनाया गया
कपिल पटेल मंदसौर मध्यप्रदेश साबरकांठा जिला सहकारी दुग्ध उत्पादन संघ के चेयरमैन…
મંદસૌર જિલ્લાના બાલગુડા ગામમાં, સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સહકારી સંઘ લિમિટેડ દ્વારા સંચાલિત મંદસૌર શી કેન્દ્ર અમૂલના પ્રણેતા ડૉ. વર્ગીસ કુરિયનના જન્મદિન પર મિલ્ક ડે ની ભવ્ય ઉજવણી કરવામાં આવી
કપિલ પટેલ દ્વારા અરવલ્લી સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સહકારી સંઘ…
ડો. વર્ગીસ કુરિયનના જન્મદિન નિમિત્તે મંદસૌર દૂધ શીતકેન્દ્ર ખાતે મિલ્ક ડે નું આયોજન
મંદસૌર / ભારત અને વિશ્વમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ. વર્ગીસ કુરિયનના જન્મદિન…
डॉ. वर्गीश कुरियन की जन्म जयन्ती पर मंदसौर दुग्ध शीत केन्द्र में आयोजित होगा मिल्क डे
मंदसौर / भारत और दुनिया भर में श्वेत क्रान्ति प्रणेता डॉ. वर्गीज कुरियन की जन्म…
ગાંધીનગરની મેડિકલ કોલેજમાં થયેલી રેગિંગની ઘટના અંગે સરકારની કડક કાર્યવાહી ત્રીજા વર્ષના સાત વિદ્યાર્થીઓ ને બે વર્ષ માટે જ્યારે બીજા વર્ષના વિદ્યાર્થીઓને છ માસ માટે કોલેજમાંથી સસ્પેન્ડ કરાયા : તબીબી શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયા
હોસ્ટેલ ડીનની ફરિયાદના આધારે તાત્કાલિક ધોરણે સીસીટીવી ફૂટેજ ચેક કરીને કાર્યવાહી…
વામનથી વિરાટ તરફ – કલાતીર્થનું એક કદમ
કચ્છ, સંજીવ રાજપૂત: કલાતીર્થ ટ્રસ્ટના અધ્યક્ષ રમણીક ઝાપડીયા એ જણાવ્યું હતું કે…
પોરબંદરના માધુપૂર ખાતે ભારતની ત્રણેય સેનાએ ત્રિશુલ 2025 દ્વારા શૌર્યનું કર્યું અદભુત પ્રદર્શન
પોરબંદર, સંજીવ રાજપૂત: પોરબંદરના માધવપુર બીચ ખાતે ભારતની ત્રણેય સેના દ્વારા…
પોરબંદરમાં ચોપાટીથી રેલવે સ્ટેશન સરદાર પ્રતિમા સુધીની ૮ કિલોમીટરની ભવ્ય એકતા પદયાત્રા યોજાઇ
સરદાર વલ્લભભાઈ પટેલ ની 150 મી જન્મ જયંતી ઉજવણી અંતર્ગત કેન્દ્રીય મંત્રી…
કેન્દ્રીય કેબિનેટ મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને કેબિનેટ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં સર્કિટ હાઉસ,પોરબંદર ખાતે દિશા સમિતિની બેઠક યોજાઇ
સરકારશ્રીની વિવિધની યોજનાઓ, સ્વચ્છતા અને વિકાસ પ્રોજેક્ટોની પ્રગતિ મુદ્દે…















