જામનગર: જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે જી એમ પટેલ કન્યા છાત્રાલય ખાતે શનિવારે કોવિડ સેન્ટર ખુલ્લું મુકવામાં આવ્યું હતું. હાલ કોરોના ની મહામારીએ ભરડો લીધો છે ત્યારે સરકારી કે ખાનગી હોસ્પિટલો ફૂલ થવા પામી છે ત્યારે કન્યા છાત્રાલાયમાં 200 બેડ ની કોવિડ દર્દીઓ માટે વ્યવસ્થા ઉમા ટ્રસ્ટ ના સેવાભાવી લોકો દ્વારા સ્વ ખર્ચે ઉભી કરવામાં આવી છે જેમાં પ્રથમ દિવસે 30 બેડ ફૂલ થઈ જવા પામ્યા હતા. ઉમા કોવિડ કેર સેન્ટરમાં 200 બેડ સુધી વધારવામાં આવનાર છે જેના માટે તમામ કર્યો બાબતે સમાજના અગ્રણીઓ, સ્વયંસેવકો અને વિવિધ સમિતિઓની રચના કરી અલગ અલગ વ્યવસ્થાની જવાબદારીઓ સોંપવામાં આવી છે. આવા કોરોના ના કપરા કાળમાં સીદસર ઉમિયા માતાજી મંદિર અને કડવા પટેલ કેળવણી મંડળ અને કન્યા છાત્રાલયના સહયોગ દ્વારા આ કોવિડ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે જેમાં હાલ 30 બેડની વ્યવસ્થા રાખવામાં આવી છે અને આગામી દિવસોમાં વધુ બેડ, ઓક્સિજન ની પણ વ્યવસ્થા કરવામાં આવનાર છે તેમજ પૂરતા ડોકટર અને સ્ટાફના આયોજન સાથે સાથે આવનાર દર્દીઓના પરિવારજનો માટે રહેવાની જમવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવનાર છે તેવું ટ્રસ્ટના ચેરમેન જયરામ બાપા દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ આખા કાર્ય પર સંકલન કરતા કર્તાહર્તા ટ્રસ્ટી રમેશભાઈ જાકસણીયા તેંમજ ડૉ જલ્પા ઓઝા દ્વારા દર્દીઓ પ્રત્યે તેમના સ્વાસ્થ્ય અંગે ચોક્કસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં આ કન્યા છાત્રાલાયમાં વધુ બેડ ની સગવડ સાથે ઠેર ઠેર ભટકતા દર્દીઓ વધુ સારી રીતે સારવાર લઈ પોતાના ઘેર હસતા મોંએ પાછા ફરી શકશે તેવી આશા સેવાઇ રહી છે.
સેવા એજ પ્રભુતા: જામનગરના ધ્રોલ ખાતે કન્યા છાત્રાલાયમાં ઉમા કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું. પ્રથમ દિવસે 30 બેડ ભરાયા.
Related Posts
Adheip Bakshi Elevated to Sales Director at Ascenta
10th April 2026, Mumbai: Ascenta has announced the elevation of A co-founder…
નવસારી જિલ્લાના આમધરા ગામ ખાતે ખેડુત મહિલાઓ દ્વારા ટ્રાન્સમિશન લાઈન માટેનો પ્રથમ ટોલ ફ્રી નંબર લોન્ચ કરાયો
નવસારી, સંજીવ રાજપૂત, એબીએનએસ:નવસારી જિલ્લાના આમધરા ગામ ખાતે ખાવડા આઇવી (સી)…
ભાલ પંથકના સાંસ્કૃતિક તિલક સમાન ‘શ્રી દાદા બાપુ ધામ પચ્છમ’ ખાતે ઐતિહાસિક ‘પંચામૃત મહોત્સવ’ની ભવ્ય ઉજવણી
ચતુર્થ પાટોત્સવ અંતર્ગત સત ચંડી મહાયજ્ઞ, ૯૯ ફૂટ ઊંચા ધર્મસ્તંભ પર ધ્વજારોહણ અને…
પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદનું ચાણસ્મા ખાતે અધિવેશન યોજાયું
પત્રકારોના હિત, સુરક્ષા અને એકતા માટે મજબૂત સંકલ્પ; પત્રકારોને 10 લાખના વીમા કવચ…
ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા ડિઝાઇન અને નિર્મિત ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ શૌર્ય પહોંચ્યું પોરબંદર
પોરબંદર, સંજીવ રાજપૂત, એબીએનએસ: ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ (ICGS) શૌર્ય, એક ઓફશોર…
પત્રકાર એકતા પરિષદ બનાસકાંઠા જિલ્લા ના હોદ્દેદારો ની મિટિંગ પાલનપુર કાર્યાલયે મળી..
10 લાખ અકસ્માત વીમા ના ફોર્મ ભરવા,પ્રવાસ કરવા અને વહેલીતકે અધિવેશન યોજવા થયો…
ગુજરાતમાં પોક્સો એકટ અંગેની માહિતી આપતો “સુરક્ષિત ભારત મિશન” અભિયાનનો થશે પ્રારંભ
અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાતમાં બાળકોની સુરક્ષા અને મહિલા સશક્તિકરણ…
જામનગર એરપોર્ટ પર મુસાફરો માટે બે મહત્વપૂર્ણ સુવિધાઓનું કરાયું લોકાર્પણ
જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) ના જામનગર…
ઝીલીયા ખાતે 80 લાખના ખર્ચે ‘કુમાર છાત્રાલય’નું કરાયું લોકાર્પણ
ગ્રામીણ, પછાત અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ અને…
રાજભવન ગાંધીનગર ખાતે “ગીતાભૂષણ” એવોર્ડથી જીગરભાઈ ભટ્ટ (શ્રી હરિ:)ને કરાયા સન્માનિત
છત્રાલ ગામના યુવાને ગીતા જ્ઞાનના પ્રચારમાં આપેલા યોગદાન બદલ રાજ્યસ્તરે ગૌરવપૂર્ણ…
















