

ક્ષત્રિય કરણીસેના ભાવનગર ના જીલ્લા અધ્યક્ષ શ્રી જનકસિંહ ચાવડા ના નેતૃત્વ મા સમસ્ત ક્ષત્રિય કરણીસેના દ્રારા ૨૦૨૬ ની જીલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત ની ચુંટણી માં વિજેતા થયેલા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ ના વલ્લભીપુર તાલુકા ના સુનિલસિંહ ચાવડા ( ભાજપ ) લાખણકા તથા ઉદેસંગભાઈ સોલંકી (ખેતાટીંબી) તથા જયદિપસિંહ હાડા (અપક્ષ ) ઈટાળીયા તથા હરપાલસિંહ મોરી (કાનપર) તથા વિશ્વરાજસિંહ પરમાર ( ભાજપ ) વલ્લભીપુર નગરપાલિકા તથા ગોપીરાજસિંહ વેગડ ( વલ્લભીપુર નગરપાલિકા) ના ઉમેદવારો નુ ફુલહાર તથા શાલ અને શિલ્ડ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યુ હતુ તથા જયદિપસિંહ હાડા જેઓ વલ્લભીપુર તાલુકા પંચાયત ના પ્રમુખ બનવા બદલ તેમનુ માં ભવાની નુ પ્રતિક એવી સિરોહી તલવાર આપી ને વિશેષ સંન્માન કરવામાં આવેલ આ તકે ક્ષત્રિય કરણીસેના ભાવનગર જીલ્લા અધ્યક્ષ જનકસિંહ ચાવડા,તાલુકા અધ્યક્ષ રૂષિરાજસિંહ મોરી,શહેર અધ્યક્ષ હઠીસિંહ ખેર,શહેર મહામંત્રી રાજેન્દ્રસિંહ રાઠોડ તથા રાષ્ટ્રીય મિડીયા પ્રભારી વિજયસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.




















