bhavnagar

સોમનાથ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ પ્રોજેક્ટમાં હોટેલ અને આતિથ્ય વ્યવસાય માટેના વ્યાવસાયિક અવસરો અંગે ચર્ચા

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ પુનર્વિકાસ પામતા સોમનાથ રેલવે સ્ટેશન ખાતે ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલા વ્યાવસાયિક ક્ષેત્રના ઉપયોગ અને આવક સર્જનની સંભાવનાઓ અંગે ચર્ચા કરવા માટે અપર મંડળ રેલ પ્રબંધક (એડીઆરએમ) શ્રી ઋત્વિક શર્મા, ભાવનગરના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકનું સંકલન વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક, ભાવનગર શ્રી અતુલ કુમાર ત્રિપાઠી દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં હોટેલ અને રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ અને મેનેજરોએ ભાગ લીધો હતો.

બેઠક દરમિયાન સોમનાથ રેલવે સ્ટેશનના સ્ટેશન બિલ્ડિંગની ત્રીજી અને ચોથી માળ પર ઉપલબ્ધ આશરે 6000 ચોરસ મીટર વિસ્તારને દીર્ઘકાલીન લીઝના આધારે હોટેલ અને આતિથ્ય વ્યવસાયના વિકાસ માટે ઉપયોગમાં લેવા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
સોમનાથ રેલવે સ્ટેશનનો પુનર્વિકાસ કાર્ય આશરે રૂ. 157 કરોડના અંદાજિત ખર્ચે કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત આધુનિક મુસાફર સુવિધાઓ સાથે ઉચ્ચ ગુણવત્તાની વ્યાવસાયિક માળખાકીય સુવિધાઓ પણ વિકસાવવામાં આવી રહી છે, જેથી મુસાફરો અને પર્યટકોને વધુ સારી સેવાઓ ઉપલબ્ધ થઈ શકે.

બેઠક દરમિયાન ઉપસ્થિત હિતધારકોને પ્રસ્તાવિત માળખાકીય સુવિધાઓ, સોમનાથ વિસ્તારની પર્યટન સંભાવનાઓ અને ઉપલબ્ધ વ્યાવસાયિક અવસરો અંગેનું વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.

હિતધારકોએ પ્રોજેક્ટની વ્યાવસાયિક વ્યવહારિકતા અંગે મુસાફર પ્રોફાઇલ વિશ્લેષણ, પર્યટકોના રોકાણની સંભાવનાઓ, હોટેલ આયોજન અને સંચાલન સંબંધિત વિવિધ સૂચનો રજૂ કર્યા. સાથે જ સોમનાથ, દ્વારકા અને ગીરને જોડતા એકીકૃત પર્યટન પરિપથ (ટૂરિસ્ટ સર્કિટ) વિકસાવવાના સૂચનો પર પણ ચર્ચા કરવામાં આવી.

રેલવે અધિકારીઓએ માહિતી આપી કે સ્ટેશન પરિસરમાં જરૂરી મૂળભૂત માળખાકીય સુવિધાઓ અને ઉપયોગિતા સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જ્યારે હોટેલ અને આતિથ્ય ક્ષેત્ર માટેનું આંતરિક વિકાસ કાર્ય રસ ધરાવતા રોકાણકારો દ્વારા તેમની વ્યાવસાયિક જરૂરિયાતો અનુસાર કરવામાં આવશે.

બેઠકમાં તમામ ભાગીદારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને સકારાત્મક તથા રચનાત્મક સૂચનો આપ્યા. મંડળ રેલવે મેનેજર શ્રી દિનેશ વર્માએ જણાવ્યું કે આ પહેલ માત્ર સોમનાથ વિસ્તારમાં પર્યટનને પ્રોત્સાહન આપશે એટલું જ નહીં, પરંતુ રેલવે માટે ગેર-ભાડા આવક (નૉન-ફેર રેવન્યૂ)માં પણ નોંધપાત્ર વધારો સુનિશ્ચિત કરશે.

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સિહોરના પીપળીયા ગામે ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને પીડિતને હૂંફ આપવા પહોંચ્યો પાટીદાર સેવા સંઘ

સિહોર તાલુકાના પીપળીયા ગામે પાટીદાર સમાજના એક ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને…

અધેવાડા ખાતે સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન દ્વારા 100 કરોડ મહામૃત્યુંજય જપમાળા અભિયાન સંકલ્પ શિબિર સંપન્ન

સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન (ઈન્ડિયા) ૧૦૦ કરોડ મહામૃત્યુંજય જપમાલા અભિયાન સંકલ્પ…

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

-ભાવનગર મેડિકલ કોલેજમાં રેગીંગની ફરિયાદની તાત્કાલિક તપાસના આદેશ, દોષિતો સામે થશે…

વડોદના ખેડૂત સંજયસિંહ ગોહિલની પ્રેરણાદાયી ગાથા પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોનું એડવાન્સ બુકિંગ થાય છે

ઉમરાળાના વડોદ ગામના પ્રગતિશીલ ખેડૂત સંજયસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ ૨૦૧૯થી…

1 of 80

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *