bhavnagar

નર્સિંગ ડે ની ઉજવણીના ભાગરૂપે આયુષ્માન નર્સિંગ કોલેજના ઉપક્રમે લેમ્પ લાઇટિંગ અને ઓથ ટેકિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યુ

ભાવનગરની આયુષ્માન નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમની શરૂઆત ગણેશ સ્તુતિથી દ્વારા કરવામાં આવેલ તેમજ આસુતોષ વિદ્યાલયના બહેનો દ્વારા પ્રાચીન ગરબાની કૃતિ પણ રજૂ કરવામાં આવેલ.

વર્ષ દરમિયાન બાળકોએ મેળવેલ વિશેષ સિદ્ધિઓમાટે મેડલ ,મોમેન્ટ સર્ટિફિકેટ આપી વિશેષ સન્માન કરવામાં આવેલ .

કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત ડો. મેહુલભાઈ ગોસાઈ【બાળરોગ નિષ્ણાંત પ્રોફેસર અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ બાળરોગ વિભાગ,સર.ટી હોસ્પિટલ ભાવનગર.】 હાજર રહિયા હતા.

જેમણે નર્સિંગ ના બહેનોને વિશેષ માર્ગદર્શન આપવામાં આવેલ અને ભવિષ્યમાં નર્સ તરીકે જ્યારે સેવા આપવાના હોય એમને પ્રોત્સાહિત કરેલ, તેમજ
ડો.યશ દવે સાહેબફેકલ્ટી, સરકારી મેડિકલ કોલેજ ભાવનગર અને
નોડલ ઓફિસર, CSR NGO અને ઓર્ગન ડોનેશન પ્રોગ્રામ,
સર.ટી હોસ્પિટલ ભાવનગર.દ્વારા નર્સિંગ એક ઉજવળ ભવિષ્ય છે અને આગામી સમયમાં એક નર્સ નું પ્રભુત્વ શું છે તેના વિશે માર્ગદર્શન આપેલ હતું .
તેમજ
ડો. ધરા ભાટી દવે ક્લાસ -૧ ઈ.એન.ટી કન્સલ્ટન્ટ સર્જન,
કાન નાક ગળા વિભાગ,Bસર.ટી હોસ્પિટલ ભાવનગર.
નર્સ તરીકે કારકિર્દી કેમ ઘડી શકાય તે વિશે વિશેષ માહિતી આપવામાં આવી હતી.તેમજ દિપક નકુમ સાહેબ બાળ રોગ નિષ્ણાત ભાવનગર જિલ્લાના દ્વારા બીજા દેશોમાં પણ નર્સિંગ ક્ષેત્રે માંગ વિશે સમજણ આપી હતી.

ફ્લોરેન્સ નાઈટીંગેલ, જેમને આપણે ‘લેડી વિથ ધ લેમ્પ’ કહીએ છીએ, તેમણે આ વ્યવસાયને એક નવી ઓળખ આપી છે.

તેની પ્રેરણા લઈ દર્દીના અંધકારમય જીવનમાં નવો પ્રકાશ ફેલાવવાનું કર્તવ્ય પૂરું પાડવું જોઈએ તે મુજબ દવા માણસના શરીરને સાજા કરે છે પણ કરુણા આત્માને સાજો કરે છે તે ભાવના ઉભી કરી છે.

આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત આયુષ્માન નર્સિંગ કોલેજના ટ્રસ્ટી શ્રી ભરતસિંહ મોરી વિપુલસિંહ પરમાર બળદેવસિંહ ચુડાસમા, રાજહંસ કોલેજના ટ્રસ્ટી શ્રી નીલમબેન વ્યાસ, તેમજ પ્રિન્સિપાલ શ્રી, ફેકલ્ટી શ્રી, વિદ્યાર્થી ભાઇઓ બહેનો અને વાલીની ઓ ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં ભાવનગર મંડળને મળી ત્રણ પ્રતિષ્ઠિત કાર્યક્ષમતા શીલ્ડ

પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહનું આયોજન શુક્રવાર, 08 મે, 2026ના…

દોષથી મુક્ત થઈ શકાય દુઃખથી નહીં: મોરારિબાપુ પાલીતાણાની “માનસ શિવ સંકલ્પ” રામકથાનો સફળ આયોજન સાથે વિરામ

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા ) તીર્થભૂમિ પાલીતાણાની નજીકના ગામ સગાપરાની કૈલાશ…

કોળી સેનાના યુવા પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ ભાવનગરમાં મતદાન કરી લોકશાહી પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો

મતદાન એ અધિકાર સાથે રાષ્ટ્રીય ફરજ પણ છે, દરેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ :…

1 of 78

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *