સોમનાથ: સંજીવ રાજપૂત, એબીએનએસ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં સોમનાથના આકાશમાં ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ એરોબેટીક ટીમ દ્વારા અદભુત અવિસ્મરણીય પ્રદર્શન યોજાયું હતું. જેમાં ભારતની હવાઈ શક્તિ, નિપુણતા અને ગૌરવને અભિવ્યક્ત કરતા દિલધડક એર-શોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ દિલધડક એરશોને ઉત્સાહપૂર્વક નિહાળ્યો હતો.







