Gir Somnath

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

ગીર સોમનાથ:
ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા ગીર સોમનાથ જિલ્લા સંગઠનને વધુ મજબૂત અને વેગવંતું બનાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષોથી સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે અગ્રેસર રહેલા રસિક ચાવડા (આર.સી.) ની ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી તરીકે સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે.

શ્રી રસિક ચાવડા વર્તમાનમાં અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ મહામંત્રી તરીકે પણ ખૂબ જ પ્રશંસનીય સેવાઓ આપી રહ્યા છે. તેમની સંગઠનાત્મક કુશળતા અને જનસેવાની ભાવનાને ધ્યાને રાખીને પક્ષના મોવડીમંડળ દ્વારા આ નવી અને મહત્વની જવાબદારી સોંપાઈ છે.

નવનિયુક્ત મહામંત્રી શ્રી રસિક ચાવડા વર્ષોથી અનેક સામાજિક અને શૈક્ષણિક પ્રવૃતિઓ સાથે સક્રિયપણે જોડાયેલા છે. ગરીબ અને વંચિત વર્ગના બાળકોના શિક્ષણ માટે, તેમજ સમાજના કલ્યાણ અને ઉત્થાન માટે તેમણે પાયાનું કામ કર્યું છે. અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ મહામંત્રી તરીકે તેઓ સતત ગુજરાતભરમાં સામાજિક એકતા અને શિક્ષણના પ્રસાર માટે કાર્યશીલ રહ્યા છે, જેનો લાભ હવે ભાજપ સંગઠનને પણ મળશે.

નવનિયુક્ત મહામંત્રી શ્રી રસિક ચાવડા (આર.સી.) નો સંકલ્પ
નિયુક્તિ બાદ ખુશી વ્યક્ત કરતા શ્રી રસિક ચાવડાએ જણાવ્યું હતું કે:
“ભાજપના શીર્ષસ્થ નેતૃત્વએ મારા પર મૂકેલા વિશ્વાસ બદલ હું હૃદયપૂર્વક આભાર માનું છું. અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ મહામંત્રી તરીકે સંગઠનનો જે અનુભવ મને મળ્યો છે તેનો ઉપયોગ હવે હું ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાને વધુ મજબૂત કરવા માટે કરીશ. સરકારની દરેક જનકલ્યાણકારી યોજનાઓ સમાજના છેવાડાના અને બક્ષીપંચ વર્ગના લોકો સુધી પહોંચે તે જ મારો મુખ્ય સંકલ્પ રહેશે .

તેમની આ મહત્વની નિમણૂકના સમાચાર મળતા જ ગીર સોમનાથ જિલ્લા ભાજપના હોદ્દેદારો, બક્ષીપંચ મોરચાના કાર્યકરો, વિવિધ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ તેમજ અખિલ ભારતીય કોળી સમાજના સ્નેહીજનો તરફથી તેમને રૂબરૂ અને સોશિયલ મીડિયાના માધ્યમથી અવિરત શુભેચ્છાઓ મળી રહી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *